બચપણથી સાંભળેલ આ ગીત હજુયે કર્ણપટલ પર સતત ગુંજ્યા કરે છે..! અવિનાશ વ્યાસ રચિત અને સંગીતબદ્ધ આ ગીત ફિલ્મ ”શેતલને કાંઠે” નું છે અને સ્વર આપ્યો છે સુમન કલ્યાણપુર તથા મહેન્દ્ર કપૂરે ..
ભીતરનો ભરમ તારો, ઉપર વાળો એક જ જાણે.. અમથી ના કર ભીની તું આંખ ..!! .. કેવી સુંદર પંક્તિ છે ..!
આ ગીતમાં જીવન ને પ્રભુ ચરણે ધરી, એમનામાં શ્રદ્ધા રાખી, જીવવાનો સુંદર સંદેશ આપ્યો છે ..!!
તારા દુ:ખ ને ખંખેરી નાખ .. તારા સુખને વિખેરી નાખ
પાણીમાં કમળ ની થઈને પાંખ, જીવતરનું ગાડું હાંક ..
સંસારી રે … તારા રામનો ભરોસો તું રાખ ..
માટીના રમકડા ઘડનારાએ એવા ઘડ્યા,
ઓછું પડે એને કાંખનું કામ…જીવતરનું ગાડું હાંક ..સંસારી રે..
તારું ધાર્યું કઈ ના થતું, હરી કરે સો હોય,
ચકલા ચકલી બે માળો બાંધેને, પીંખી નાખે કોય
હે… ટાળ્યા ટળે નહીં લેખ લલાટે, કોનો એમાં વાંક ..? ..જીવતર નું ગાડું હાંક .. સંસારી રે..
હે …કાપડ ફાટ્યું હોય તો તાણો નહીને તુંણીયે .. પણ કાળજ ફાટ્યું હોય.. તો કોઈ કાળે સંધાય નહીં …
કેડી કાંટાળી, વાટ અટપટી, દૂર છે તારો મુકામ
મન મુકીને સોંપી દે તું, હરી ને હાથ લગામ
હે.. ભીતરનો ભરમ તારો, ઉપરવાળો એક જ જાણે ..
અમથી ના ભીની કર તું આંખ ..!… જીવતરનું ગાડું હાંક … સંસારી રે..
તારા દુ:ખ ને ખંખેરી નાખ .. તારા સુખને વિખેરી નાખ
પાણીમાં કમળ ની થઈને પાંખ, જીવતરનું ગાડું હાંક ..
સંસારી રે … તારા રામનો ભરોસો તું રાખ ..
*
21 Responses to રામનો ભરોસો…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments