Guru Purnima…
July 7th, 2009


ગુરુ ર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા :
ગુરુ સાક્ષાત પરર્બ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુદ્વે નમ: ॥
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
*
આચાર્યશ્રી વ્રજેશકુમારજીનાં લાલન, ગોસ્વામી શ્રી યદુનાથજી મહોદયશ્રીનાં અનુપમ આશીર્વાદ .
પરમ ભગવદીય ચેતનાબેન,
તમને, તમારા પૂરા પરિવારને તથા તમારી વેબસાઈટ પર વિઝીટ કરતા બધાજ વૈષ્ણવોને ખૂબ ખૂબ આશીર્વાદ…! વૈષ્ણવ કોને કહેવાય કે, જે સદા બધાને પ્રભુ – સ્મરણ કરાવતા રહે..! અને એ અનુભૂતિ તમારામાં, તમારા કાર્યો દ્વારા થઇ રહી છે. આ કલિ-કાલમાં ભગવદ નામ લેવું અને લેવડાવવું, બન્ને દુર્લભ છે, જેને તમે તમારી વેબસાઈટ દ્વારા સુલભ કર્યું છે. પુષ્ટિમાર્ગના વિવધ વિષયો ઉપર તમારા દ્વારા અપાતી માહિતીઓનો, ઘણા વૈષ્ણવોએ લાભ લીધો છે. તમારી અંદર રહેલી, કઈક ઉત્તમ – કઈક નવું આપવાની વૃતિથી જ આપની વેબસાઈટે ખુબ લોકચાહના મેળવી છે. પ્રભુને એ જ વિનંતી કરીએ છીએ કે આપને ખુબ જ સામર્થ્ય આપી, આવી જ નામ સેવા આગળ પણ કરાવતા રહે.. એવા આશીર્વાદ.
With blessings – Yadunathji.
આજના ગુરુપૂર્ણિમા નાં પાવન દિવસે, મારા તથા સમગ્ર વૈષ્ણવો વતી આપને પંચાંગ – દંડવત પ્રણામ જેજે ..!! આજે શ્રીવલ્લભ તથા આપશ્રીની કૃપા “સમન્વય” તથા સમન્વયના દરેક મહેમાનો પર વરસી છે, એનાથી રૂડું બીજું શું હોઈ શકે ..? આપશ્રીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવીએ છીએ…
નવેમ્બર – ૨૦૦૫માં જ્યારે ચંપારણ્યની પાવન ભૂમિમાં આપશ્રી ની અમૃતવાણી દ્વારા શ્રીમદ ભાગવત સાંભળવાનો લાભ મળ્યો, ત્યારે કોઈ અલૌકિક અનુભૂતિ થઇ … મારું ચંપારણ્ય આવવાનું પણ અચાનક જ નક્કી થયું… તે દિવસે સવારે જ આપશ્રીએ વૈષ્ણવોને કહેલું કે શ્રીઠાકોરજીની અને શ્રી વલ્લભની કૃપા હોય, એ જ અહીંની પાવન ભૂમિ પર ભાગવત સપ્તાહ સાંભળવા ભાગ્યવાન હોય, નહિ તો અહીં આવેલા લોકોને પણ સંજોગોવશાત અહીં થી દુર જવું પડે છે … ! શ્રીજી બોલાવે તો જ આવી શકાય… અને ખરેજ એવું થયેલું …
આપશ્રીની અમૃત વાણીમાં એ શક્તિ છે, કે યશોદાજીની મમતા, ગોપીઓનો વિરહ તાપ જે રીતે ગોપી ગીતમાં વર્ણવી, શ્રોતાઓના હૈયાને હચમચાવી દે છે કે અશ્રુધારા વહે છે .. તો શ્રીઠાકોરજી નાં અનુપમ સૌંદર્યનું વર્ણન, ભક્તિમાં ભાવ વિભોર બનાવી અંતરાત્માને પુલકિત બનાવી દે છે .. !
બાદમાં ત્યાં આપશ્રી સાથે ચંપારણ્યની પદયાત્રા-પરિક્રમા કરવાનો લાભ મળ્યો .. એ પાવન ભૂમિના સ્પર્શ, આપશ્રીના સત્સંગ અને એ પવિત્ર વાતાવરણનાં અલૌકિક વાઈબ્રેશન ને લીધે જ મારા વિચારો ( જે ત્યાં આવ્યા પહેલાના આઠ વર્ષ થી મનમાં થતું હતું કે, કઇક એવું કરું કે જેથી ગુજરાતી અને સંસ્કૃત ન જાણતા લોકો પુષ્ટિમાર્ગના નિત્ય નિયમના પાઠ અંગ્રેજીમાં શીખી શકે.. પણ દિશા સુઝતી નહોતી ) ને એક નવી દિશા મળી અને એ “શ્રીજી બ્લોગ” માં પરિણમી… !
સ્કંધપુરાણમાં લખ્યું છે કે ‘ગુ’ શબ્દનો અર્થ છે અંધકાર અને ‘રુ’ શબ્દનો અર્થ છે તેનો નાશ કરનાર .. આમ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનારને ગુરુ કહેવાય છે.. અને ગુરુની કૃપા હોય તો શિષ્ય કોઈ પણ ગ્રંથ વાંચ્યા સિવાય જ્ઞાન મેળવી શકે છે. આપશ્રી પણ અમારા પથદર્શક બની રહો અને ભક્તિનો સાચો માર્ગ બતાવો… આપશ્રીના દિવ્ય તેજની અનુભૂતિ તો અમને થઇ જ છે અને આગળ પણ થતી રહે …બસ આમ જ શ્રીઠાકોરજી – શ્રીયમુનામાં, શ્રીવલ્લભ તથા આપશ્રીની કૃપા સદાય વરસતી રહે એવી પ્રાર્થના…!
![gse_multipart5492[1]](http://farm3.static.flickr.com/2361/2457843830_58fb1c8cdb_m.jpg)
July 7th, 2009 at 12:59 am
ખૂબ ભાવવાહી સ્વરમા ગુરુવંદના
જ ય શ્રી કૃ ષ્ણ
ગુરુ – ‘ગુ’(અંન્ધકાર) અને ‘રુ’(પ્રકાશ)ની યુતી છે.
આમ ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનારી શકિતને અમારા
કોટી કોટી પ્રણિપાત
July 7th, 2009 at 4:38 am
Dear Chatu,
Your work is a great service to Internet world.
Keep your service and be near GOD.
Best from The Trivedi Parivar
Geeta Rajendra and Trivedi Parivar
July 6th 2006.
http://www.yogaeast.net
July 7th, 2009 at 4:44 am
મેરે તો આધાર શ્રી વલ્લભ કે ચરણાર્વિંદ.
જય શ્રી કૃષ્ણ
July 7th, 2009 at 9:37 am
GURU PURNIMA..GURU VANDANA !
Jai Shree Krishna to All !
Chandravadan ( Chandrapukar )
July 7th, 2009 at 10:52 am
આજના ગુરુપૂર્ણિમા નાં પાવન દિવસે તમારી વેબસાઈટ પર વિઝીટ કરતા બધાજ વૈષ્ણવોને ગોસ્વામી શ્રી યદુનાથજી મહોદયશ્રીનાં અનુપમ આશીર્વાદ,કૃપા મેળવીને અમે સહુ ધન્યતા અનુભવીએ છીએ.અને જેનો શ્રેય ચેતનાબેનને જ આપવો રહ્યો.
આજના ગુરુપૂર્ણિમા નાં પાવન અવસરે મારા પથદર્શક અને ગુરૂ સમોવડા બેનાને કોટી કોટી વંદન.જય શ્રી કૃષ્ણ.
July 7th, 2009 at 11:16 am
(GURU PURNIMA)PUJIYA JE JE SHRI KO “NAMAN” SARV VESHANAV KO JAY SHREE KRISHNA:
July 7th, 2009 at 12:00 pm
i am really touched on this great day of gurupurnima to hear these lovely asthchhap pads. also, we are also very lucky to get the blessings of shree yadunathji on this day.
July 7th, 2009 at 2:19 pm
ચેતના બેન આજે અમને પણ તમારી ક્રુપા એ ગુરુજી નાં આશિર્વાદ પ્રાપ્ત થયાં…
એમનાં ચરણોમાં મારા દંડવત પ્રણામ..
શ્રી ક્રુષ્ણ પર્માત્મા ને આપણે ફક્ત અનુભવી શકીયે છે..એમનાં દર્શન આપણે ક્યારેય પણ કરી નથી શકવાનાં..
પણ એમના આપેલા ઉપદેશ ને સમજી ને આપણેને સમજાવનાર એ પ્રભુ પ્રિય જે પાત્ર છે એને જ ગુરુ કહેવાય..તો આપણી માટે તો ગુરુ જ પરમાત્મા છે…
મારા જીવન માં જાણે અજાણે જે ગુરુ તરીકે આવ્યા છે એ સર્વે ને હુ વંદન કરુ છું…
July 9th, 2009 at 11:09 am
I’m so pleased to read this gurupurnima artical and ashirvachan of Gurudev on the occation of Gurupurnima and really very thankfull to Chetnaben who give us very nice updatting in this website. pls. keep it up
many thanks
Jignsh shah
July 9th, 2009 at 2:05 pm
BEST OF LUCK. FROM PAPPA & GHIYA FEMILY …UPLETA . JUNAGADH
July 10th, 2009 at 4:03 pm
aa shubh divase sarvene jai shree krishna——–
July 11th, 2009 at 11:11 am
so nice of you chetu di….khare khar hriday sparshi post che.plz keep it up.
July 12th, 2009 at 8:53 pm
Thanks for GURUVANDANA and AASHIRVAD from GURUJI
July 14th, 2009 at 4:58 pm
khubaj saras
abhar
July 14th, 2009 at 5:08 pm
chetnaben,
jaishrikrishna,
from time to time we recieving your messages through main are very interesting and mind blowing thanks lot,
MADHUVIRENDRA
July 25th, 2009 at 11:13 am
received JJ’s ashirvad on your blog
JJ dandvat pranam
nice blog
Jay shree Krishna
August 1st, 2009 at 5:56 pm
Nice Post…Keep it up Chetu !….And, inviting you to REVISIT my Blog !
Chandravadan ( CHANDRAPUKAR )
http://www.chandrapukar.wordpress.com
November 23rd, 2009 at 3:57 am
[...] Guru Purnima… - [...]