Samnvay

comments Comments Off
By Chetu, February 29, 2008 6:00 am

 
ganeshji

શ્રી કનકેશ્વરીય નમ:

જીવન એ વહેતુ ઝરણું છે. જેમાં લાગણીરૂપી જળ સમાયેલ છે, જે નિરંતર વહ્યાં જ કરે છે..! જ્યારે ઝરણું વહેતું વહેતું નદીને મળે છે, ત્યારે તેમાં એકાકાર થઈને નદી સ્વરૂપ ધારણ કરી લે છે. અલગ અલગ જગ્યાએથી વહેતી આવતી વિવિધ નદીઓનો સમન્વય, જ્યારે એક જગ્યાએ થાય છે ત્યારે એમનો સંગમ રચાય છે અને તેનો જ સમન્વય જ્યારે સાગર સાથે થાય છે, ત્યારે એ નદી મટી મહાસાગર બની જાય છે.. એટલે કે જીવનરૂપી ઝરણાંનો સમન્વય, નદી રૂપી લાગણી સાથે અને એ નદી રૂપી લાગણીનો સમન્વય, સાગર સાથે થાય ત્યારે જીવનો સમન્વય, મહાસાગર રૂપી શ્રી હરિ સાથે થાય છે..!! લાગણી દર્શાવવા નાં ત્રણ માધ્યમો છે.. ભક્તિ – સંગીત – સાહિત્ય. જેનો અંહી ત્રિવેણી સંગમ થયેલ છે.આ સ્નેહ સરિતાનાં સમન્વયમાં રહેલું, લાગણીરૂપી નીર વહેતું આવી ને આપના હૃદય ને જરૂર ભીંજવી જશે..!

શ્રી હરિને પામવા માટે ભક્તિએ સહજ અને સરળ માર્ગ છે. ભક્તિનાં પણ અનેક પ્રકારો છે. પ્રેમ – પૂજા – સમર્પણ.. ઈત્યાદિ..! મીરાંબાઇની પ્રેમલક્ષણા ભક્તિ પણ અનોખી છે ! નરસિંહ મહેતા,તુકારામ,મીરાંબાઇ જેવા અનેક ભક્તો કિર્તન ભક્તિ અને સંગીત દ્વારા લાગણી દર્શાવી ભગવાન ને પામી શકયાં.!

શબ્દ એ બ્રહ્મ છે.. શબ્દોથી આપણી લાગણીને વાચા મળે છે, અને એ લાગણી આપણે કાવ્યો – ગઝલ અથવા તો લેખ દ્વારા વિવિધ રીતે અભિવ્યક્ત કરીએ છીએ. આ બધી ભાવાભિવ્યક્તિઓમાં રહેલ શબ્દોને જ્યારે સંગીતનો સાથ મળે ત્યારે એ નાદબ્રહ્મથી શ્રી હરિનો સાક્ષાત્કાર થાય છે…!

jyoti

Shriji

comments Comments Off
By Chetu,

Recent Posts

Ghatma giridhari… - Mon, 16 Apr 2012
સર્વે વૈષ્ણવજનોને જગદગુરુ શ્રીવલ્લભાચાર્ય (મહાપ્રભુજી) પ્રાગટ્ય દિનની ખૂબ ખૂબ વધાઈઓ...

Charane Rakho… - Tue, 10 Apr 2012
વૈષ્ણવજનના વ્હાલા પ્રભુજી, ઝાંખી શ્રીજીની કરાવો રે..!

Shri Ramchandra… - Fri, 30 Mar 2012
આપ સહુને શ્રીરામનવમીની ખૂબ ખૂબ વધાઈ...

Govind Hari… ( શ્રદ્ધાંજલી ) - Thu, 03 Nov 2011
તેઓ અનંત યાત્રાએ નીકળી ગયા પરંતુ ૠણાનુબંધ અમર રાખતા ગયા. એમના પવિત્ર વ્યક્તિત્વની મહેંક કાયમ પ્રસરેલી રહેશે...એમની આપેલી શિક્ષા અને સંસ્કાર એ જ તો અમારા જીવનની મુડી છે.. ! ગુરુ-શિષ્યાનું આ ઋણાનુબંધ સદાય અમર રહેશે..!

Laav Hatheli… - Tue, 01 Nov 2011
લાવ હથેળી શ્યામ લખી દઉં...

Sur~Saragam

comments Comments Off
By Chetu,

Recent Posts

Dil ki is… - Mon, 26 Mar 2012
ઝિંદગીમાં કોઈ અજાણ્યુ પાત્ર મહેમાન બનીને આવે અને અચાનક જ પોતાના પ્રેમનો સ્ત્રોત બની જાય, ત્યારે હૈયામાં ઉદભવતી સંવેદનાઓ...

Dil me kisike… - Mon, 26 Mar 2012
હૈયામાં જો પ્રણય-દીપ પ્રગટ્યો હોય તો એને દુનિયાના કોઇ...

Muje aisa mila… - Tue, 13 Mar 2012
આ ગીતમાં જાણે કે કોઈ યુવતી યુગોથી પોતાના શમણાને શોધવા ભટકતી હોય ને અચાનક જ તેને એ પ્રેમ-સ્વરૂપે મળી જાય... ત્યારે થતી આનંદની હેલી... સુંદર શબ્દો દ્વારા લતાજીના કંઠે વહી રહી છે ..!

Paan Lilu Joyu… (સૂર~સાધના) - Tue, 01 Nov 2011
કવિશ્રી હરિન્દ્ર દવેની સુંદર રચના જે મને અતિપ્રિય છે, તેને મેં સ્વર આપવાની કોશીશ કરી છે ...

Teri meri prem… - Sun, 30 Oct 2011
કહે છે ને કે પ્રણય અહેસાસને, તેની સંવેદનાઓ - તડપને શબ્દોમાં આલેખી શકાતા નથી, પણ આ વિડીયોમાં બે આત્માના ઐક્યને તથા તેમની દરેક સંવેદનાઓને આકૃતિ દ્વારા આલેખીને દર્શાવેલ છે..એક છે પ્રેમનું સ્થુળ સ્વરુપ, તો બીજુ તેના અહેસાસ રુપે સફેદ રંગની આકૃતિમાં....

Anokhubandhan

comments Comments Off
By Chetu,

Recent Posts

વીણેલા મોતી… - Fri, 27 Apr 2012
કારણ પ્રેમની ભાષા તો મૌન હોય છે...

આંખડી છેડે સરગમ… - Wed, 18 Apr 2012
આંખડી છેડે સરગમ, હૃદય તાલ દે...

સ્ત્રી સંવેદના… - Mon, 09 Apr 2012
આ વક્તવ્ય ફક્ત સ્ત્રીઓ જ નહીં, પરંતુ પુરુષવર્ગ પણ એમનો અમુલ્ય સમય ફાળવી, સાંભળે એવી નમ્ર વિનંતી..

રામ ના બિસાર… - Sun, 01 Apr 2012
રામ ના બિસાર બંદે, રામ ના બિસાર...

ગમન… - Thu, 08 Mar 2012
Respect the feelings of people who touched ur heart Bcoz, u will never know when they will just walk out of ur life and never come back...

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetans WP-Copyprotect.