Samnvay

Posted in Uncategorized
Post date: February 29, 2008

 
ganeshji

શ્રી કનકેશ્વરીય નમ:

*
જીવન એ વહેતુ ઝરણું છે. જેમાં લાગણીરૂપી જળ સમાયેલ છે, જે નિરંતર વહ્યાં જ કરે છે..! જ્યારે ઝરણું વહેતું વહેતું નદીને મળે છે, ત્યારે તેમાં એકાકાર થઈને નદી સ્વરૂપ ધારણ કરી લે છે. અલગ અલગ જગ્યાએથી વહેતી આવતી વિવિધ નદીઓનો સમન્વય, જ્યારે એક જગ્યાએ થાય છે ત્યારે એમનો સંગમ રચાય છે અને તેનો જ સમન્વય જ્યારે સાગર સાથે થાય છે, ત્યારે એ નદી મટી મહાસાગર બની જાય છે.. એટલે કે જીવનરૂપી ઝરણાંનો સમન્વય, નદી રૂપી લાગણી સાથે અને એ નદી રૂપી લાગણીનો સમન્વય, સાગર સાથે થાય ત્યારે જીવનો સમન્વય, મહાસાગર રૂપી શ્રી હરિ સાથે થાય છે..!! લાગણી દર્શાવવા નાં ત્રણ માધ્યમો છે.. ભક્તિ - સંગીત - સાહિત્ય. જેનો અંહી ત્રિવેણી સંગમ થયેલ છે.આ સ્નેહ સરિતાનાં સમન્વયમાં રહેલું, લાગણીરૂપી નીર વહેતું આવી ને આપના હૃદય ને જરૂર ભીંજવી જશે..!


શ્રી હરિને પામવા માટે ભક્તિએ સહજ અને સરળ માર્ગ છે. ભક્તિનાં પણ અનેક પ્રકારો છે. પ્રેમ - પૂજા - સમર્પણ.. ઈત્યાદિ..! મીરાંબાઇની પ્રેમલક્ષણા ભક્તિ પણ અનોખી છે ! નરસિંહ મહેતા,તુકારામ,મીરાંબાઇ જેવા અનેક ભક્તો કિર્તન ભક્તિ અને સંગીત દ્વારા લાગણી દર્શાવી ભગવાન ને પામી શકયાં.!
શબ્દ એ બ્રહ્મ છે.. શબ્દોથી આપણી લાગણીને વાચા મળે છે, અને એ લાગણી આપણે કાવ્યો - ગઝલ અથવા તો લેખ દ્વારા વિવિધ રીતે અભિવ્યક્ત કરીએ છીએ. આ બધી ભાવાભિવ્યક્તિઓમાં રહેલ શબ્દોને જ્યારે સંગીતનો સાથ મળે ત્યારે એ નાદબ્રહ્મથી શ્રી હરિનો સાક્ષાત્કાર થાય છે…!
 

jyoti

Comments Off

Shriji

Posted in Uncategorized
Post date: February 29, 2008

Recent Posts

Mari hundi swikaro… - Thu, 25 Jun 2009
મારી હુંડી સ્વીકારો મા'રાજ રે શામળા ગિરધારી, મારી હુંડી શામળિયા ને હાથ રે શામળા ગિરધારી...

Tare re Bharose… - Sat, 06 Jun 2009
તારે રે ભરોસે ભવ મુક્યો મારો , જુઠા રે જગત માં તારો સાચો સથવારો ...

ShriKrishnashtakam… - Sun, 24 May 2009
મિત્રો, આજે પ્રસ્તુત છે, બચપણથી જ મારું અતિપ્રિય શ્રીકૃષ્ણાષ્ટ્કમ..! જ્યારે પણ સાંભળું, એક અલૌકિક શાંતિ પ્રાપ્ત થાય છે..! શ્રીકૃષ્ણ ભગવાનની અનુપમ છબી નજર સમક્ષ આવીને એમનાં દિવ્ય સ્વરૂપની ઝાંખી કરાવે છે ...!! કર્ણપ્રિય સંગીત અને સ્વરમાં શ્રીકૃષ્ણાષ્ટ્કમ. જેનું આલેખન ત્રણ ભાષામાં / ભાવાર્થ ગુજરાતી તથા અંગ્રેજી ભાષામાં...!!!

Shraddhanjali… - Mon, 11 May 2009
જેઓએ કાયમ માનવતાની મહેંક પ્રસરાવી છે, એવા અમારા પૂજ્ય કાકાશ્રી સ્વ. વિનોદરાય જમનાદાસ ઘીયાને આદરપૂર્વક શ્રધ્ધાંજલી...

Karagre Vaste lakshmi… - Sun, 25 Jan 2009
કરાગ્રે વસતે લક્ષ્મી...

Comments Off

Sur~Saragam

Posted in Uncategorized
Post date: February 29, 2008

Recent Posts

Pal-pal dil… - Mon, 29 Jun 2009
આ અનુભૂતિ જ કૈક અનોખી હોય છે ... ' કોઈ ખાસ ' જ્યારે આપણા હૈયાનું, નજરનું અને વિચારોનું કેન્દ્રબિંદુ બની જાય છે... ત્યારે સમજાતું નથી કે આ કેવું બંધન છે...!

Maai..ree… - Thu, 11 Jun 2009
ગીતકાર શ્રી મજરૂહ સુલતાનપૂરીએ નારી હૈયાની છુપી વેદના ને બ-ખૂબી દર્શાવી છે .. જે પોતાના હૈયાની વ્યથા ને કોઈ પણ વ્યક્તિ સમક્ષ કહી શકતી નથી .. પ્રિયતમ ને પામવા છતાં પામી શકતી નથી.. એક એવું દર્દ જે તેના કાળજા ને કોરી ખાય છે, તે આ ગીત માં તાદ્રશ થાય છે.

Tera mujse hai… - Fri, 05 Jun 2009
કોઇ ઋણાનુબંધ હોય તો જ એકબીજા માટે લાગણી જન્મે છે..પરંતુ સંજોગોનુસાર એ જ ઋણાનુબંધ તણી લેણ-દેણ ખુટે છે ત્યારે...

Bachche man ke sachche… - Mon, 25 May 2009
બચ્ચે મનકે સચ્ચે, સારે જગકી આંખકે તારે, યે વો નન્હે ફૂલ હૈ જો, ભગવાન કો લગતે પ્યારે ..!!

Brahm Naad… - Tue, 19 May 2009
મિત્રો, આજે માણો, એક હજાર સિતારવાદકો - તબલા વાદકો તથા અન્ય સંગીતકારોએ છેડીલી રાગ- રાગીણીઓ મિશ્રિત સંગીતની સૂરાવલીઓનો અદભુત સમન્વય ...!!

Comments Off

Anokhubandhan

Posted in Uncategorized
Post date: February 29, 2008

Recent Posts

પ્રિય પપ્પા… - Sun, 21 Jun 2009
પ્રિય પપ્પા, આજ નાં શુભ દિવસે આપને તથા વિશ્વના દરેક પિતાને વંદન .. ! .. જેમ માં ની મમતા અજોડ અને અનન્ય છે એમ જ પિતાનું વાત્સલ્ય પણ અનોખું છે..

વીણેલા મોતી… - Fri, 05 Jun 2009
સચ્ચાઇનો સૌથી મોટામાં મોટો મિત્ર  સમય  છે. એનો મોટામાં મોટો શત્રુ  પૂર્વગ્રહ છે અને એની સદાની સખી વિનમ્રતા  છે. - ચાર્લ્સ કેલબ કોલ્ટન

પાન લીલું જોયું ને… - Wed, 27 May 2009
મારી એક્દમ પ્રિય આ રચનામાં, કવિએ નાયિકાના હૈયામાં રહેલ પ્રેમને, યાદ રૂપે પ્રગટ કરેલ છે... પરંતુ બીજી રીતે એમ જ સૂચવે છે કે...

ઉપહાર… - Thu, 21 May 2009
બંધન અનોખું કેવી રીતે હોઈ શકે ? કોનું બંધન ? જે વસ્તુ આપણને ગમતી હોય તે બંધન કેવી રીતે હોઈ શકે ?....

આ તે કોણ રે… - Wed, 14 Jan 2009
જ્યારે કોઇ પ્રીત કેરી વાંસળીનાં સૂર છેડે છે ત્યારે, એના તરંગોથી કોઇની મન-વીણાનાં તાર રણઝણી ઉઠે છે. પ્રીત ભર્યાં હૈયાં, કોઇ અનોખી અનુભૂતિનાં સ્પંદનોથી ધબકતાં રહે છે....

Comments Off