જીવન એ વહેતુ ઝરણું છે. જેમાં લાગણીરૂપી જળ સમાયેલ છે, જે નિરંતર વહ્યાં જ કરે છે..! જ્યારે ઝરણું વહેતું વહેતું નદીને મળે છે, ત્યારે તેમાં એકાકાર થઈને નદી સ્વરૂપ ધારણ કરી લે છે. અલગ અલગ જગ્યાએથી વહેતી આવતી વિવિધ નદીઓનો સમન્વય, જ્યારે એક જગ્યાએ થાય છે ત્યારે એમનો સંગમ રચાય છે અને તેનો જ સમન્વય જ્યારે સાગર સાથે થાય છે, ત્યારે એ નદી મટી મહાસાગર બની જાય છે.. એટલે કે જીવનરૂપી ઝરણાંનો સમન્વય, નદી રૂપી લાગણી સાથે અને એ નદી રૂપી લાગણીનો સમન્વય, સાગર સાથે થાય ત્યારે જીવનો સમન્વય, મહાસાગર રૂપી શ્રી હરિ સાથે થાય છે..!! લાગણી દર્શાવવા નાં ત્રણ માધ્યમો છે.. ભક્તિ - સંગીત - સાહિત્ય. જેનો અંહી ત્રિવેણી સંગમ થયેલ છે.આ સ્નેહ સરિતાનાં સમન્વયમાં રહેલું, લાગણીરૂપી નીર વહેતું આવી ને આપના હૃદય ને જરૂર ભીંજવી જશે..!
…
શ્રી હરિને પામવા માટે ભક્તિએ સહજ અને સરળ માર્ગ છે. ભક્તિનાં પણ અનેક પ્રકારો છે. પ્રેમ - પૂજા - સમર્પણ.. ઈત્યાદિ..! મીરાંબાઇની પ્રેમલક્ષણા ભક્તિ પણ અનોખી છે ! નરસિંહ મહેતા,તુકારામ,મીરાંબાઇ જેવા અનેક ભક્તો કિર્તન ભક્તિ અને સંગીત દ્વારા લાગણી દર્શાવી ભગવાન ને પામી શકયાં.!
શબ્દ એ બ્રહ્મ છે.. શબ્દોથી આપણી લાગણીને વાચા મળે છે, અને એ લાગણી આપણે કાવ્યો - ગઝલ અથવા તો લેખ દ્વારા વિવિધ રીતે અભિવ્યક્ત કરીએ છીએ. આ બધી ભાવાભિવ્યક્તિઓમાં રહેલ શબ્દોને જ્યારે સંગીતનો સાથ મળે ત્યારે એ નાદબ્રહ્મથી શ્રી હરિનો સાક્ષાત્કાર થાય છે…!
Mari hundi swikaro… - Thu, 25 Jun 2009 મારી હુંડી સ્વીકારો મા'રાજ રે શામળા ગિરધારી, મારી હુંડી શામળિયા ને હાથ રે શામળા ગિરધારી...
Tare re Bharose… - Sat, 06 Jun 2009 તારે રે ભરોસે ભવ મુક્યો મારો ,
જુઠા રે જગત માં તારો સાચો સથવારો ...
ShriKrishnashtakam… - Sun, 24 May 2009 મિત્રો, આજે પ્રસ્તુત છે, બચપણથી જ મારું અતિપ્રિય શ્રીકૃષ્ણાષ્ટ્કમ..! જ્યારે પણ સાંભળું, એક અલૌકિક શાંતિ પ્રાપ્ત થાય છે..! શ્રીકૃષ્ણ ભગવાનની અનુપમ છબી નજર સમક્ષ આવીને એમનાં દિવ્ય સ્વરૂપની ઝાંખી કરાવે છે ...!!
કર્ણપ્રિય સંગીત અને સ્વરમાં શ્રીકૃષ્ણાષ્ટ્કમ. જેનું આલેખન ત્રણ ભાષામાં / ભાવાર્થ ગુજરાતી તથા અંગ્રેજી ભાષામાં...!!!
Shraddhanjali… - Mon, 11 May 2009 જેઓએ કાયમ માનવતાની મહેંક પ્રસરાવી છે, એવા અમારા પૂજ્ય કાકાશ્રી સ્વ. વિનોદરાય જમનાદાસ ઘીયાને આદરપૂર્વક શ્રધ્ધાંજલી...
Pal-pal dil… - Mon, 29 Jun 2009 આ અનુભૂતિ જ કૈક અનોખી હોય છે ... ' કોઈ ખાસ ' જ્યારે આપણા હૈયાનું, નજરનું અને વિચારોનું કેન્દ્રબિંદુ બની જાય છે... ત્યારે સમજાતું નથી કે આ કેવું બંધન છે...!
Maai..ree… - Thu, 11 Jun 2009 ગીતકાર શ્રી મજરૂહ સુલતાનપૂરીએ નારી હૈયાની છુપી વેદના ને બ-ખૂબી દર્શાવી છે .. જે પોતાના હૈયાની વ્યથા ને કોઈ પણ વ્યક્તિ સમક્ષ કહી શકતી નથી .. પ્રિયતમ ને પામવા છતાં પામી શકતી નથી.. એક એવું દર્દ જે તેના કાળજા ને કોરી ખાય છે, તે આ ગીત માં તાદ્રશ થાય છે.
Tera mujse hai… - Fri, 05 Jun 2009 કોઇ ઋણાનુબંધ હોય તો જ એકબીજા માટે લાગણી જન્મે છે..પરંતુ સંજોગોનુસાર એ જ ઋણાનુબંધ તણી લેણ-દેણ ખુટે છે ત્યારે...
Bachche man ke sachche… - Mon, 25 May 2009 બચ્ચે મનકે સચ્ચે, સારે જગકી આંખકે તારે,
યે વો નન્હે ફૂલ હૈ જો, ભગવાન કો લગતે પ્યારે ..!!
Brahm Naad… - Tue, 19 May 2009 મિત્રો, આજે માણો, એક હજાર સિતારવાદકો - તબલા વાદકો તથા અન્ય સંગીતકારોએ છેડીલી રાગ- રાગીણીઓ મિશ્રિત સંગીતની સૂરાવલીઓનો અદભુત સમન્વય ...!!
પ્રિય પપ્પા… - Sun, 21 Jun 2009 પ્રિય પપ્પા, આજ નાં શુભ દિવસે આપને તથા વિશ્વના દરેક પિતાને વંદન .. !
.. જેમ માં ની મમતા અજોડ અને અનન્ય છે એમ જ પિતાનું વાત્સલ્ય પણ અનોખું છે..
વીણેલા મોતી… - Fri, 05 Jun 2009 સચ્ચાઇનો સૌથી મોટામાં મોટો મિત્ર સમય છે. એનો મોટામાં મોટો શત્રુ પૂર્વગ્રહ છે અને એની સદાની સખી વિનમ્રતા છે.
- ચાર્લ્સ કેલબ કોલ્ટન
પાન લીલું જોયું ને… - Wed, 27 May 2009 મારી એક્દમ પ્રિય આ રચનામાં, કવિએ નાયિકાના હૈયામાં રહેલ પ્રેમને, યાદ રૂપે પ્રગટ કરેલ છે... પરંતુ બીજી રીતે એમ જ સૂચવે છે કે...
ઉપહાર… - Thu, 21 May 2009 બંધન અનોખું કેવી રીતે હોઈ શકે ? કોનું બંધન ? જે વસ્તુ આપણને ગમતી હોય તે બંધન કેવી રીતે હોઈ શકે ?....
આ તે કોણ રે… - Wed, 14 Jan 2009 જ્યારે કોઇ પ્રીત કેરી વાંસળીનાં સૂર છેડે છે ત્યારે, એના તરંગોથી કોઇની મન-વીણાનાં તાર રણઝણી ઉઠે છે. પ્રીત ભર્યાં હૈયાં, કોઇ અનોખી અનુભૂતિનાં સ્પંદનોથી ધબકતાં રહે છે....
Comments Off
*
મારી જીવન સરિતામાં શ્રી હરિની કૃપા,વડીલોનાં આશીર્વાદ તથા એ દરેક સ્નેહીજનોની લાગણીનો સમન્વય થયેલો છે, જેમના કારણે એજ બધાં લાગણી ભીનાં સ્પંદનોને હું "સમન્વય" પર દર્શાવી શકી..!.. "શ્રીજી"ની કૃપાથી આ સ્પંદનોની "સૂર-સરગમ" બની અને એજ મને એક "અનોખું બંધન" આપી ગઈ..!. એ તમામ સ્નેહીજનો તથા આપ સહુ ને ખરા અંતઃકરણપૂર્વક ભાવ ભીની સ્નેહાંજલી અર્પણ કરું છું..! સમન્વયનાં માધ્યમથી આપ પણ આ લાગણી ભીની લહેરોનાં સ્પર્શથી ભીંજાઈને શ્રી હરિનો અનેરો સાક્ષાત્કાર કરી શક્શો..!!
Thanks for supporting & encouraging me with your precious comments.
Note
અહીં મુકવામાં આવેલ ભજન પુષ્ટિમાર્ગ દ્વારા શ્રીઠાકોરજીની ભક્તિ દર્શાવવા માટે જ છે અને ગીત ફક્ત મનોરંજન માટે જ છે, જે ડાઉનલોડ થઇ શકે તેમ નથી, આ ભજન-ગીત તેમજ સાહિત્યનાં તમામ હક્કો જે તે રચયિતાનાં પોતાનાં છે. તેમ છતાં કોઇ પણ કૉપી રાઇટ્સનો ભંગ થતો હોય તો મારો સંપર્ક કરવા વિનંતી.
email - chetu@samnvay.net