• 2299225800_36df30cb3b[1]

    મારી જીવન સરિતામાં શ્રી હરિની કૃપા,વડીલોનાં આશીર્વાદ તથા એ દરેક સ્નેહીજનોની લાગણીનો સમન્વય થયેલો છે, જેમના કારણે એજ બધાં લાગણી ભીનાં સ્પંદનોને હું "સમન્વય" પર દર્શાવી શકી..!.. "શ્રીજી"ની કૃપાથી આ સ્પંદનોની "સૂર-સરગમ" બની અને એજ મને એક "અનોખું બંધન" આપી ગઈ..!. એ તમામ સ્નેહીજનો તથા આપ સહુ ને ખરા અંતઃકરણપૂર્વક ભાવ ભીની સ્નેહાંજલી અર્પણ કરું છું..! સમન્વયનાં માધ્યમથી આપ પણ આ લાગણી ભીની લહેરોનાં સ્પર્શથી ભીંજાઈને શ્રી હરિનો અનેરો સાક્ષાત્કાર કરી શક્શો..!!

    Copy of 1161011878178

  • Old Guest Book

  • Recent Comments

  • Note

    અંહી મુક્વામાં આવેલા ભજન, પુષ્ટિમાર્ગ દ્વારા શ્રીઠાકોરજી ની ભક્તિ દર્શાવવા માટે જ છે, અને ગીત ફક્ત મનોરંજન માટે જ છે, જે ડાઉનલોડ થઇ શકે એમ નથી.... દરેક ભજનની તથા ગીતની mp3 નાં તેમ જ સાહિત્યની રચનાઓનાં કોપીરાઇટ્સ જે તે રચયિતાનાં પોતાનાં રહે છે. જો કોઇ કોપીરાઇટ્સ નો ભંગ થતો જણાય તો મારો સંપર્ક કરવા વિનંતી. Chetna Shah . email -: chetu@samnvay.net
  • Visitors

Samnvay

 
ganeshji

શ્રી કનકેશ્વરીય નમ:

જીવન એ વહેતુ ઝરણું છે. જેમાં લાગણીરૂપી જળ સમાયેલ છે, જે નિરંતર વહ્યાં જ કરે છે..! જ્યારે ઝરણું વહેતું વહેતું નદીને મળે છે, ત્યારે તેમાં એકાકાર થઈને નદી સ્વરૂપ ધારણ કરી લે છે. અલગ અલગ જગ્યાએથી વહેતી આવતી વિવિધ નદીઓનો સમન્વય, જ્યારે એક જગ્યાએ થાય છે ત્યારે એમનો સંગમ રચાય છે અને તેનો જ સમન્વય જ્યારે સાગર સાથે થાય છે, ત્યારે એ નદી મટી મહાસાગર બની જાય છે.. એટલે કે જીવનરૂપી ઝરણાંનો સમન્વય, નદી રૂપી લાગણી સાથે અને એ નદી રૂપી લાગણીનો સમન્વય, સાગર સાથે થાય ત્યારે જીવનો સમન્વય, મહાસાગર રૂપી શ્રી હરિ સાથે થાય છે..!! લાગણી દર્શાવવા નાં ત્રણ માધ્યમો છે.. ભક્તિ - સંગીત - સાહિત્ય. જેનો અંહી ત્રિવેણી સંગમ થયેલ છે.આ સ્નેહ સરિતાનાં સમન્વયમાં રહેલું, લાગણીરૂપી નીર વહેતું આવી ને આપના હૃદય ને જરૂર ભીંજવી જશે..!
શ્રી હરિને પામવા માટે ભક્તિએ સહજ અને સરળ માર્ગ છે. ભક્તિનાં પણ અનેક પ્રકારો છે. પ્રેમ - પૂજા - સમર્પણ.. ઈત્યાદિ..! મીરાંબાઇની પ્રેમલક્ષણા ભક્તિ પણ અનોખી છે ! નરસિંહ મહેતા,તુકારામ,મીરાંબાઇ જેવા અનેક ભક્તો કિર્તન ભક્તિ અને સંગીત દ્વારા લાગણી દર્શાવી ભગવાન ને પામી શકયાં.!
શબ્દ એ બ્રહ્મ છે.. શબ્દોથી આપણી લાગણીને વાચા મળે છે, અને એ લાગણી આપણે કાવ્યો - ગઝલ અથવા તો લેખ દ્વારા વિવિધ રીતે અભિવ્યક્ત કરીએ છીએ. આ બધી ભાવાભિવ્યક્તિઓમાં રહેલ શબ્દોને જ્યારે સંગીતનો સાથ મળે ત્યારે એ નાદબ્રહ્મથી શ્રી હરિનો સાક્ષાત્કાર થાય છે…!
 

jyoti

Shriji

Recent Posts

..*.. શ્રીજી હવેલી - લંડન ..*.. - Fri, 18 Jul 2008
*  શ્રીનાથજી પ્રભુ વિજયતે  * *  શ્રીબાલકૃષ્ણ પ્રભુ વિજયતે  * હિંડોળે ઝૂલે મારો વ્હાલો લંડનમાં…!  હિંડોળાનું અધિવાસન (પ્રારંભ) થાય ત્યારે હવેલીમાં ડોલ-તિબારીમાં ચાંદી કે સુરંગનાં હિંડોળા રોપવામાં આવે છે. અષાઢ વદ એકમ થી શ્રાવણ વદ બીજ સુધીનાં આખા હિંડોળા ઉત્સવ દરમ્યાન હિંડોળા વિજય (પૂર્ણ) થાય ત્યાં સુધી શ્રીઠાકોરજી હિંડોળામાં બિરાજે છે.  વૈષ્ણવો, આ પવિત્ર હિંડોળાનાં મનોરથી બની અમુલ્ય [...]

..*.. હિંડોળા મનોરથ ..*.. - Fri, 18 Jul 2008
 અનિવાર્ય સંજોગોમાં મનોરથમાં ફેરફાર થઇ શકે છે. તિથી તારીખ વાર હિંડોળાનાંનામ દર્શન સમય     મનોરથનો ન્યૌચ્છાવર અષાઢ વદ ૧ ૧૯-૭-૦૮ શનિવાર સુરંગ સાંજના ૫ થી ૮ ૧૧ પાઉન્ડ અષાઢ વદ ૨ ૨0-૭-૦૮ રવિવાર ચાંદીનાં હિંડોળા સુરંગમાં સાંજના ૫ થી ૮ ૨૧ પાઉન્ડ અષાઢ વદ ૩ ૨૧-૭-૦૮ સોમવાર ચાંદીનાં હિંડોળા સુરંગમાં સાંજના ૫ થી ૮ ૨૧ પાઉન્ડ અષાઢ વદ ૪ ૨૨-૭-૦૮ મંગળવાર સોનાનાં હિંડોળા સુરંગમાં સાંજના ૫ થી ૮ ૨૧ પાઉન્ડ અષાઢ વદ ૫ ૨૩-૭-૦૮ બુધવાર સોનાનાં હિંડોળા સુરંગમાં સાંજના ૫ થી ૮ ૨૧ પાઉન્ડ અષાઢ વદ ૬ ૨૪-૭-૦૮ ગુરૂવાર મોતીનાં હિંડોળા સુરંગમાં સાંજના ૫ થી ૮ ૨૧ પાઉન્ડ અષાઢ વદ [...]

..*.. Shri Mahaprabhuji ki jay ..*.. - Fri, 02 May 2008
જગદગુરુ શ્રીમદ વલ્લભાધિશજી અને શ્રી ગોવર્ધનનાથજીનાં 531 મા પ્રાગટ્ય મહોત્સવ ની હાર્દિક વધાઇ.. ..*.. Shri Vallabhadhish ki Jay..*.. ..*.. Shri Mahaprabhuji na Hastakshar..*.. ..*..Shri Mahaprabhuji’s Praagaty..*.. ..*..Aavo Shri Vallabh..*.. ..*..Shri Vallabhacharyji..*.. ..* Kamada Ekadashi *.. ..*..Shri Mahaprabhuji..*..

..*.. Shrinathji na Rang ma..*.. - Tue, 15 Apr 2008

..*.. Shrinathji na Rang ma ..*.. - Tue, 15 Apr 2008

Sur~Saragam

Recent Posts

..*.. શ્રાવણી સરગમ ..*.. - Fri, 18 Jul 2008
* * અહીં લંડનમાં તો ઘણીવાર અનાયસે સૂરજનાં સોનેરી કિરણોની સાથે જ રૂપેરી વરસાદ વરસે છે .. પરંતુ જ્યારે અષાઢી મેહ ગરજે છે, શ્રાવણી સરવડાં વરસે છે ને ભીની માટીની સુગંધથી હૈયું હિલોળા લે છે…ત્યારે મનનો મોરલો વિવિધરંગી લાગણીઓનાં પીંછાઓથી કળા કરે છે, ને એનું પ્રતિબીંબ જ્યારે મેઘથી તરબતર ગગન પર પડે છે ત્યારે રચાય છે મેઘધનુષ..!! આજે [...]

..*.. Mere Dholana ..*.. - Wed, 23 Apr 2008
( Refresh the page to play the song with slide show ) ..આ ગીત મારી અતિ-પ્રિય ગાયિકા શ્રેયાનાં સુમધુર સ્વરમાં છે અને તેને સાથ આપ્યો છે શ્રીએમ.જી. શ્રીકુમારે..બન્નેનાં સ્વરની જુગલબંધી કંઇક અનોખું જ વાતાવરણ સર્જે છે..અંતરાની એક પંક્તિમાં શ્રેયાનાં સ્વરમાં સાઉથના ગાયિકા ચિત્રાજીનાં સ્વરની તથા શ્રીકુમારનાં સ્વરમાં શ્રીહરિહરનનાં સ્વરની ઝલક વર્તાય છે…!… સંગીત છે શ્રીપ્રિતમજીનું, [...]

..*.. Happy RamNavami ..*.. - Mon, 14 Apr 2008
..* Payoji maine Ram ratan dhan *.. ..* Choupaai *.. ..* Jaise suraj ki garmi se *.. ..* Sukh ke sab saathi *..

..*.. ગુજરાતનું ગૌરવ ..*.. - Sat, 05 Apr 2008
ગુજરાતનું ગૌરવ - સાડા ચૌદ વર્ષની ઐશ્વર્યા મજમુદારને .. ” Star Voice of India - Chhote Ustad ” નું બિરૂદ મેળવવા બદલ હાર્દિક અભિનંદન ..!.. સાડા ત્રણ વર્ષની વયથી ગાતી ઐશ્વર્યાએ ભારતીય તથા પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી છે. Aishwarya getting praised for her fantabulous peformance.

..*.. Rahe na Rahe hum ..*.. - Sun, 23 Mar 2008

Anokhubandhan

Recent Posts

..*.. ‘ વેબ ગુર્જરી ‘ પર ‘ સમન્વય ‘ ..*.. - Sat, 07 Jun 2008
* મિત્રો, સહર્ષ જણાવવાનું કે ‘ ગાંધીનગર સમાચાર ’ નામનાં ગુજરાતી સમાચાર પત્રમાં ધબકાર ગૃપ દ્વારા શરૂ કરેલી કૉલમ ‘વેબ ગુર્જરી’ પર સમન્વય વિષે લેખ પ્રકાશિત થયેલ છે, એ માટે દરેક મિત્રો- વાંચકો, ધબકાર ગૃપ તથા ‘ ગાંધીનગર સમાચાર ’ નો ખૂબ ખૂબ આભાર …!

..*.. પરીપૂર્ણ પ્રેમનું પ્રતિક ..*.. Poll (2) - Tue, 06 May 2008
..મિત્રો, .. પ્રેમ અને ” પ્રેમ ની પરાકાષ્ઠા ” વિષે ખૂબ સુંદર અને શ્રેષ્ઠ પ્રતિભાવો આવ્યાં ..આપ સહુ નો આટલો સરસ પ્રતિસાદ મળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર .. આવી જ રીતે આગળ પણ આપ સર્વે મિત્રોનો સહકાર મળશે એવી આશા ..! . આજનો બીજો સવાલ છે ” પરીપૂર્ણ પ્રેમનું પ્રતિક એટલે …” અને જવાબ રૂપે [...]

..*.. પ્રેમની પરાકાષ્ઠા ..*.. Poll (1) - Thu, 01 May 2008
…મિત્રો, …..આજે ” પ્રેમ ” નામનો સરળ છતાં અઘરો અને ગહન વિષય લઇને આવી છું ..પ્રેમની કોઇ વ્યાખ્યા કે પરિભાષા નથી , પ્રેમનું કોઇ વર્ગીકરણ નથી કે પ્રેમનું કોઇ રૂપ નથી.. એને કોઇ એ જોયો નથી છતાં પણ એના ઝાંકળભીનાં સ્પંદનની અનુભૂતિથી કોઇ વંચિત તો નહીં જ રહ્યું હોય..!! …તો ચાલો આજે એ વિષય પર, [...]

..*.. વીણેલા મોતી ..*.. - Wed, 16 Apr 2008
* પ્રેમ એટલે આચરણમાં મુકેલી શ્રદ્ધા અને સેવા એટલે આચરણમાં મુકેલો પ્રેમ.   - મધર ટેરેસા

..*.. ઉપહાર ..*.. - Tue, 15 Apr 2008
આ રચના અનોખુંબંધન ને ભેટ મોકલવા બદલ સખી દિગીશા શેઠ-પારેખ ( દિવ્ય-ભાવ ) નો ખૂબ ખૂબ આભાર અનોખું બંધન જામ્યું ‘કેમ છો?’ કહીને, પછીથી પાંગર્યુ હળી મળી ને, અટક્યું એક વાર ‘પછી મળશું’ કહીને, અનોખું બંધન જામ્યું ‘કેમ છો?’ કહી ને… આંખોમાં રહ્યું એ ‘પ્રતિક્ષા’ બનીને, દ્રષ્ટીમાં વસ્યું એ ‘હરખ’ કરીને, પછી ધીમેથી ટપક્યું એ ‘વિરહ’ બનીને, અનોખું બંધન જામ્યું ‘કેમ છો?’ [...]