Tulasi- Vivah…

દેવ પ્રબોધિની એકદશીને દેવ પ્રબોધિની દેવદિવાળી પણ કહે છે..આ દિવસે ચાતુર્માસની સમાપ્તી થાય છે, તેમજ અષાઢ સુદ અગિયારસથી શયન કરી રહેલાં ભગવાનને જગાડવા માં આવે છે.

આ દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે. પુષ્ટિ હવેલીઓમાં શેરડીનો મંડપ કરવામાં આવે છે,જેમાં દિવા કરવામાં આવે છે.પ્રભુ ને રજાઇ, ગદ્લ, અંગિઠી, તથા કાચા ફળો ધરવામાં આવે છે. પ્રબોધિનીએ જાગરણ કરાય છે. જેને ”રાત્રીજગો” કહેવાય છે. જે ચાર યુથાધિપતિની ભાવના તથા તત્સુખ નો ભાવ છે. કુંજમાં ભક્ત આવે છે અને ત્યાં વિવાહખેલ આદિ ચતુર્થ ભક્ત જાગરણ કરી, ભોગ ધરી, આરતી કરી વિરહતાપ નિવારણ કરે છે.

તુલસીજી ભક્તિરૂપ છે. તે સ્વામીનીજીનાં શ્રીઅંગ ની સુગંધ છે. તે દ્વિદલાત્મક રૂપે હોઈ ભક્તને શ્રીજીનું ઐક્ય સૂચવે છે. તેથી આત્મનિવેદનમાં અને નિત્ય સેવામાં શ્રીચરણ કમળમાં પધરાવવામાં આવે છે જે સૂચવે છે કે ભક્તનું સ્થાન શ્રીચરણ કમળમાં જ છે. જ્યાં તુલસીજી બિરાજતા હોય ત્યાં શ્રી ઠાકોરજી નિશ્ચય હોય છે. તુલસી અલૌકિક દેહ ની દાતા છે અને ભગવદ્ ધર્મમાં પડતાં બધા પ્રતિબંધોને દૂર કરે છે.


This entry was posted in Uncategorized. Bookmark the permalink.

bottom musical line

5 Responses to Tulasi- Vivah…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to preeti mehta Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. Ketan Shah says:

    Happy Dev Diwali

    તુલસી વિવાહ ના આહલાદક દર્શન કરાવવા બદલ આભાર.

    તુલસીજીના મહાત્મય વિશે આજે જાણવા મળ્યુ.

    વડોદરામા દેવદિવાળી કારતક સુદ પુનમ ને દિવસે ઉજવાય છે. આજે નરસિંહજી ભગવાન પાલખી મા બેસીને તુલસીજી સાથે વિવાહ કરવા જાય છે. આજે જુના વડોદરાના સ્મારકો અને ઘરો દિવાઓ અને લાઈટો થી ઝગમગી ઉઠે છે. મારી જાણકારી મુજબ આ પરંપરા લગભગ ૧૦૦-૧૫૦ વર્ષ થી ચાલે છે. આ નરસિંહભગવાનની સેવા એક વૈષ્ણવ પરિખ પરિવાર ના ઘરે થાય છે. શક્ય હશે તો આ ઉત્સવ ના ફોટો મોકલાવીશ.

    કેતન શાહ

  2. digisha sheth parekh says:

    wowww…kyathi lai avo chho aa badhu bahu mahenat cheh tamariii mane to maja padiiiiiiii…….

  3. preeti mehta says:

    તુલસી વિવાહ વિશે સરસ રીતે સમજાવ્યું છે ચેતના બેન.

  4. Rajendra says:

    ખરેખર આ વેબ સાઇટ પર મને ઘણું બધું જાણવા અને માણવા મળ્યું. ભગવાન શ્રીકૃષ્ણ નો અને તુલસીજી(રાધાજી) નો વિવાહ ના દર્શન કરી ને હું ધન્ય થયો છું. ચેતનાજી, હું હજી થોડા દિવસો થી જ ભાગવત તરફ વળ્યો છું…અને ઈશ્વર ની કૃપા થી તમારી વેબ સાઇટ પણ મને ઈશ્વર કૃપા થીજ મળી ગયી… મને ઘણું બધું તેમાંથી મળી રહેશે..
    મારા pc માં મારે ગુજરાતી જે આપણે અહી use કરીએ છીએ તે ફોન્ટ નખાવવા શું કરવું પડે? મને માર્ગદર્શન આપશો.