Home Blue

Radha Etle…

download

 ંમિત્રો, આજે  રાધાષ્ટંમી ..   આજે  .. એમનો કૃષ્ણપ્રેમ યાદ આવી ગયો ..!!   એવુ સાંભળ્યું છે કે,  શ્રીવિષ્ણુ અને લક્ષ્મીજી એક્વાર ગોષ્ઠી કરી રહ્યાં હોય છે, ત્યારે શ્રીવિષ્ણુ,  લક્ષ્મીજીને  કહે છે કે,   દેવી આપ જ્યારે રામ યુગમાં સિતાજી તરીકે  ધરતીમાં સમાઈ ગયા ત્યારે  બાકીનું  જીવન , આપના વિના.. આપના વિરહમાં ઝૂરીને  મેં અનુભવેલી તડપ આપ શું  જાણો ?  ત્યારે લક્ષ્મીજી એ ભાવાવેશમાં વચન આપ્યું કે નાથ, આપે શેષ જીવન મારા વિરહમાં વિતાવ્યું ..  હવે આવનારા ક્રુષ્ણયુગમાં આખો જન્મારો આપનો વિરહ સહીને વિતાવિશ ..!!  અને આપણે જાણીએ છીએ રાધાજીનો અલૌકિક પ્રેમ …!! 

કોઈ કહે રાધા એટલે કાન્હાની વાંસળીનો સૂર.  તો  કોઈ કહે કાન્હાની કલ્પના ..!!

મને  નિલમ દીદીની આ રચના ખૂબ જ ગમે છે ..!!

રાધા એટલે……
ભીની પાંપણો પર..
થીજી ગયેલ બે અશ્રુબિંદુમાં,
ચળકતી પ્રતીક્ષા……

રાધા એટલે….
બળબળતી બપોરે
ધગધગતા રણમાં
તપેલી રેતીની અખૂટ તરસ…..

રાધા એટલે….
મોરપીંછ સંગાથે
વનરાવનમાં વેરાયેલ ટહુકાથી
વીંધાયેલ વાંસળી….

રાધા એટલે….
પરમ સમીપે પહોંચવાની
ક્રિષ્ણને પામવાની
અદમ્ય અભીપ્સા…..

રાધા એટલે….
પ્રેમપંથની પાવક જવાળામાં
લીલીછમ્મ લાગણીની
ઘેરી અનુભૂતિ….

રાધા એટલે….

કૃષ્ણના
પ્રેમ અને આનંદનો
સહજ,સ્વયંસ્ફૂરીત
એકમાત્ર પર્યાય…..

નીલમ દોશી. (પરમ સમીપે)

***

 મૂકેશ જોશી –
————————————–
કૈંક ચોમાસાં અને વરસાદ રાધા,
એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા.

…ને, ઝુરાપાનું સુદર્શન આંગળીએ,
રોજ છેદી નાખતો જે સાદ રાધા.

એટલે તો જિંદગીભર શંખ ફુંક્યો,
વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા.

કૃષ્ણને બહેલાવવાને આજ પણ,
ચોતરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા.

કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.

– મૂકેશ જોશી

This entry was posted in Janmdin, Others, Utasav - ઉત્સવ. Bookmark the permalink.

bottom musical line

One Response to Radha Etle…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. dilip says:

    રાધા અષ્ટમી ના આપે બેય સુંદર રચનાઓ રજુ કરી ..મુકેશ જોશીની પંક્તિ તો યાદ આવી જ જાય ..
    પણ પંક્તિઓ કરતા પણ વિશેષ છે ભાવભક્તિ ….
    કૈક ચોમાસા અનેર વરસાદ રાધા
    એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા
    રાધા એટલે પરમ સમીપે પહોચવાની, કૃષ્ણને પામવાની અદમ્ય અભિલાષા