Category: Kirtan – કિર્તન

Nutan-Varsh Annakutotsav…

By , November 7, 2010 5:00 am

જયશ્રીકૃષ્ણ

***

Share this post

  • Facebook
  • Google Plus
  • YahooBuzz
  • Twitter
  • Google Reader
  • Orkut
  • Live
  • LinkedIn
  • Email
  • RSS
  • Add to favorites

Guru Purnima…

By , July 7, 2009 12:01 am

atcaaabwfdknr5tpjlwftlfykchpqhzconymyfnibqrz-sqnjtvk6o8mdnzdi1irvhpkhtbdhou56vfrdi8yqesbud1-ajtu9vblk2ckv76n2skhrewgq_0fblxxvw1
shri-yadunathji

ગુરુ ર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા :

ગુરુ સાક્ષાત પરર્બ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુદ્વે નમ: ॥

 

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

*

આચાર્યશ્રી વ્રજેશકુમારજીનાં લાલન, ગોસ્વામી શ્રી યદુનાથજી મહોદયશ્રીનાં અનુપમ આશીર્વાદ .

 પરમ ભગવદીય ચેતનાબેન,

તમને, તમારા પૂરા પરિવારને તથા તમારી વેબસાઈટ પર વિઝીટ કરતા બધાજ વૈષ્ણવોને ખૂબ ખૂબ આશીર્વાદ…!  વૈષ્ણવ કોને કહેવાય કે, જે સદા બધાને પ્રભુ – સ્મરણ કરાવતા રહે..! અને એ અનુભૂતિ તમારામાં, તમારા કાર્યો દ્વારા થઇ રહી છે. આ કલિ-કાલમાં ભગવદ નામ લેવું અને લેવડાવવું, બન્ને દુર્લભ છે, જેને તમે તમારી વેબસાઈટ દ્વારા સુલભ કર્યું છે. પુષ્ટિમાર્ગના વિવધ વિષયો ઉપર તમારા દ્વારા અપાતી માહિતીઓનો, ઘણા વૈષ્ણવોએ લાભ લીધો છે. તમારી અંદર રહેલી, કઈક ઉત્તમ – કઈક નવું આપવાની વૃતિથી જ આપની વેબસાઈટે ખુબ લોકચાહના મેળવી છે. પ્રભુને એ જ વિનંતી કરીએ છીએ કે આપને ખુબ જ સામર્થ્ય આપી, આવી જ નામ સેવા આગળ પણ કરાવતા રહે.. એવા આશીર્વાદ. 

 With blessings – Yadunathji.

આજના ગુરુપૂર્ણિમા નાં પાવન દિવસે,  મારા તથા સમગ્ર વૈષ્ણવો વતી આપને પંચાંગ – દંડવત પ્રણામ જેજે ..!!  આજે શ્રીવલ્લભ તથા આપશ્રીની કૃપા  “સમન્વય”   તથા સમન્વયના દરેક મહેમાનો પર વરસી છે, એનાથી રૂડું બીજું શું હોઈ શકે ..?  આપશ્રીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવીએ છીએ…

નવેમ્બર – ૨૦૦૫માં જ્યારે ચંપારણ્યની પાવન ભૂમિમાં આપશ્રી ની અમૃતવાણી દ્વારા શ્રીમદ ભાગવત સાંભળવાનો લાભ મળ્યો, ત્યારે કોઈ અલૌકિક  અનુભૂતિ થઇ … મારું ચંપારણ્ય આવવાનું પણ અચાનક જ નક્કી થયું… તે દિવસે સવારે જ આપશ્રીએ વૈષ્ણવોને કહેલું કે શ્રીઠાકોરજીની અને શ્રી વલ્લભની કૃપા હોય, એ જ અહીંની પાવન ભૂમિ પર ભાગવત સપ્તાહ સાંભળવા ભાગ્યવાન હોય, નહિ તો અહીં આવેલા લોકોને પણ સંજોગોવશાત અહીં થી દુર જવું પડે છે … !  શ્રીજી બોલાવે તો જ આવી શકાય… અને ખરેજ એવું થયેલું …

આપશ્રીની અમૃત વાણીમાં એ શક્તિ છે, કે યશોદાજીની મમતા, ગોપીઓનો વિરહ તાપ જે રીતે ગોપી ગીતમાં વર્ણવી, શ્રોતાઓના હૈયાને હચમચાવી દે છે કે અશ્રુધારા વહે છે .. તો શ્રીઠાકોરજી નાં અનુપમ સૌંદર્યનું વર્ણન, ભક્તિમાં ભાવ વિભોર બનાવી અંતરાત્માને પુલકિત બનાવી દે છે .. !

બાદમાં ત્યાં આપશ્રી સાથે ચંપારણ્યની પદયાત્રા-પરિક્રમા કરવાનો લાભ મળ્યો ..   એ પાવન ભૂમિના સ્પર્શ, આપશ્રીના સત્સંગ અને એ પવિત્ર વાતાવરણનાં અલૌકિક વાઈબ્રેશન ને લીધે જ મારા વિચારો ( જે ત્યાં આવ્યા પહેલાના આઠ વર્ષ થી મનમાં થતું હતું કે, કઇક  એવું કરું કે  જેથી ગુજરાતી અને સંસ્કૃત ન જાણતા લોકો પુષ્ટિમાર્ગના નિત્ય નિયમના પાઠ અંગ્રેજીમાં શીખી શકે.. પણ દિશા સુઝતી નહોતી )  ને એક નવી દિશા મળી અને એ “શ્રીજી બ્લોગ” માં પરિણમી…  !

સ્કંધપુરાણમાં લખ્યું છે કે ‘ગુ’  શબ્દનો અર્થ છે અંધકાર અને  ‘રુ’ શબ્દનો અર્થ છે તેનો નાશ કરનાર .. આમ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનારને ગુરુ કહેવાય છે.. અને ગુરુની કૃપા હોય તો શિષ્ય કોઈ પણ ગ્રંથ વાંચ્યા સિવાય જ્ઞાન મેળવી શકે છે. આપશ્રી પણ અમારા પથદર્શક બની રહો અને ભક્તિનો સાચો માર્ગ બતાવો… આપશ્રીના દિવ્ય તેજની અનુભૂતિ તો અમને થઇ જ છે અને આગળ પણ થતી રહે …બસ આમ જ શ્રીઠાકોરજી – શ્રીયમુનામાં, શ્રીવલ્લભ તથા આપશ્રીની કૃપા સદાય વરસતી રહે એવી પ્રાર્થના…!

***

Share this post

  • Facebook
  • Google Plus
  • YahooBuzz
  • Twitter
  • Google Reader
  • Orkut
  • Live
  • LinkedIn
  • Email
  • RSS
  • Add to favorites

Shraddhanjali…

By , May 11, 2009 5:58 pm

જેઓએ કાયમ માનવતાની મહેંક પ્રસરાવી છે, એવા અમારા પૂજ્ય કાકાશ્રી સ્વ. વિનોદરાય જમનાદાસ ઘીયાને આદરપૂર્વક શ્રધ્ધાંજલી…                                                                                        

 … જયશ્રીકૃષ્ણ.

tilak aarti

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

*

* ગાયત્રીમંત્ર *

 *

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

શ્રી કૃષ્ણ શરણં મમ: શ્રી કૃષ્ણ શરણં મમ:, શ્રી કૃષ્ણ શરણં મમ: શ્રી કૃષ્ણ શરણં મમ:
કદંબ કેરી ડાળો બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, યમુના કેરી પાળો બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
વ્રજ ચોરાસી કોસ બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, કુંડ કુંડની સીડીઓ બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
કમલ કમલ પર મધુકર બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, ડાળ ડાળ પર પક્ષી બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
વ્રંદાવનના વૃક્ષો બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, ગોકુળીયાની ગાયો બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
કુંજ-કુંજ વન-ઉપવન બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, વ્રજ ભૂમીના રજકણ બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
રાસ રમંતી ગોપી બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, ધેનુ ચરાવતા ગોપો બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
વાજા ને તબલામાં બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, શરણાઇ ને તંબુરમાં બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
નૃત્ય કરંતી નારી બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, કેસર કેરી ક્યારી બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
આકાશે પાતાળે બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, ચૌદ લોકે બ્રમ્હાંડે બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
ચંદ્ર સરોવર ચોકે બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, પત્ર પત્ર શાખાએ બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
આંબો લિંબુ ને જાંબુ બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, વનસ્પતિ હરીયાળી બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
જતિપુરાના લોકો બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ: , મથુરાજીના ચોબા બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
ગોવર્ધનના શિખરો બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, ગલી ગલી ગૃહવર વન બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
વેણુસ્વર સંગીતે બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, કળા કરંતા મોર બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
કુલિન, કન્દરા મધુવન બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, શ્રી યમુનાજીની લહેરો બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
આંબા ડાળે કોયલ બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, તુલસીજીના ક્યારા બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
સર્વે જગતમાં વ્યાપક બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, વિરહીજનનાં હૈયા બોલે,શ્રી કૃષ્ણ શરણં મમ:
કૃષ્ણ વિયૉગે આતુર બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, વલ્લભી વૈષ્ણવ સર્વે બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
મધુર વીણા વજીંત્રો બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, કુમુદીની સરોવરમાં બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
ચંદ્ર સુર્ય આકાશે બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, તારલીયાનાં મંડળ બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
અષ્ટ પ્રહર આનંદે બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, રોમ રોમ વ્યાકુળ થઇ બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
મહા મંત્ર મન માહે બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, યુગલ ચરણ અનુરાગે બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
શ્રી કૃષ્ણ શરણં મમ: શ્રી કૃષ્ણ શરણં મમ: શ્રી કૃષ્ણ શરણં મમ:
શ્રી કૃષ્ણ શરણં મમ: શ્રી કૃષ્ણ શરણં મમ: શ્રી કૃષ્ણ શરણં મમ: શ્રી કૃષ્ણ શરણં મમ:
શ્રી કૃષ્ણ શરણં મમ: શ્રી કૃષ્ણ શરણં મમ: શ્રી કૃષ્ણ શરણં મમ: શ્રી કૃષ્ણ શરણં મમ:

*

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


ચિત્ત તું શીદ ને ચિંતા ધરે, ક્રિષ્ન ને કરવું હોય તે કરે..
સ્થાવર, જંગમ, જડ, ચેતનમાં, માયાનું બળ જટ થી ઠરે..
સ્મરણ કર શ્રીક્રિશ્નચંદ્રનું, જનમ જનમનાં પાપ હરે…
નવ રે માસ રહી ગર્ભમાં પ્રાણી, શ્રીક્રિશ્નચંદ્રનું ધ્યાન ધરે…
માયાનું જયાં કર્યુ આવરણ લખચોરાસી ફેરા ફરે….
દોરી સહુ ની હરિના હાથે એણે ભરાવ્યું તે ડગલુ ભરે…
જેવો જંત્ર વગાડે જંત્રી એવો તેનો સ્વર નિસરે….
તારું ધાર્યુ થાતું હોય તો સુખ સાચે ને દુ:ખ હરે…
રાખ ભરોસો રાધાવરનો જીવ હવે તું શીદ ને ડરે…
ચિત્ત તું શીદ ને ચિંતા ધરે, ક્રિષ્ન ને કરવું હોય તે કરે..
સ્થાવર, જંગમ, જડ, ચેતનમાં, માયાનું બળ જટ થી ઠરે..
સ્મરણ કર શ્રીક્રિશ્નચંદ્રનું, જનમ જનમનાં પાપ હરે…
ક્રિષ્ન ને કરવું હોય તે કરે.. ક્રિષ્ન ને કરવું હોય તે કરે..
ક્રિષ્ન ને કરવું હોય તે કરે.. ક્રિષ્ન ને કરવું હોય તે કરે..

*

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


શ્રીજીબાવા કૃપા કરી દર્શન દેવા આવજો, દાસ તમારા જાણી પ્રભુ, અમને અપનાવજો
વૈજંતી માળા, શિરે મુગટ, તિલક સોહામણા,
અધર મુરલી, પાયે ઝાંઝર દેતાં વધામણા …. દાસ તમારા જાણી ….
ક્રિશ્ન કનૈયા, છેલ છોગાળા, યશોદાના લાલ રે
નામ તમારું, રોમે રોમે, રણકે મારા વ્હાલા રે .. દાસ તમારા જાણી …
જીવ જગતમાં, ભટકી આવ્યો શરણે તમારા રે,
અંતરયામી શ્રીજી બાવા રાખો તમારે ચરણે, દાસ તમારા જાણી…
શ્રીજીબાવા કૃપા કરી દર્શન દેવા આવજો, દાસ તમારા જાણી પ્રભુ, અમને અપનાવજો

*

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


અવિનાશી અરજી ઉર ધરજો, કરૂણા સાગર કરૂણા કરજો,
દુ:ખિયાનાં દોષ, ના દિલ ધરજો, કરૂણા સાગર કરૂણા કરજો,
દરબારે આવ્યો આશ ધરી, નથી ખોટ તારે ભંડાર હરિ,
સુખ સંપતિ ચાહું ન, નાથ જરી, દેજે એવું કે, ના આવું ફરી
શ્રીજી સંતોષ ઉરે ધરજો, કરૂણા સાગર કરૂણા કરજો… અવિનાશી …
નથી નામ સ્મર્યા, કદી યાદ કરી, નથી દર્શને આવ્યો ભાવ ધરી,
નથી યોગ કીધા, ન સમાધી ધરી, તોયે તુજ નયને ન રીસ જરી,
અંતર થી અળગો ના કરજો, કરૂણા સાગર કરૂણા કરજો…. અવિનાશી …
મિથ્યા સંસારે સાર જોયો, સ્વપ્નાનાં સુખમાં હું મોહ્યો,
મનમેલ કદી મેં ના ધોયો, આવ્યો અવસર એળે ખોયો,
અણસમજણ, અંધારા હરજો, કરૂણા સાગર કરૂણા કરજો….. અવિનાશી …
અંતરયામી એક જ માંગુ, મોહ માયા નિંદ્રા થી જાગું,
તવ ચરણ કમળમાં અનુરાગુ, જપતાં તુજ નામ આ તન ત્યાગું,
શ્રીજી ચરણ કમળ મમ ધામ હજો, કરૂણા સાગર કરૂણા કરજો….. અવિનાશી …
અવિનાશી અરજી ઉર ધરજો, કરૂણા સાગર કરૂણા કરજો….
કરૂણા સાગર કરૂણા કરજો, કરૂણા સાગર કરૂણા કરજો…..

*

Share this post

  • Facebook
  • Google Plus
  • YahooBuzz
  • Twitter
  • Google Reader
  • Orkut
  • Live
  • LinkedIn
  • Email
  • RSS
  • Add to favorites

Rasiyaa…

By , March 19, 2008 2:00 am


રસિયા-પદ ફાગણ માસની શરૂઆતથી હોળી સુધી ખાસ ગવાય છે. રસિયા એટલે રસ ઉત્પન્ન કરનાર રસિક અને રસિક એ શ્રીઠાકોરજીનું એક નામ છે … જેઓ વૈષ્ણવોનાં હૈયામાં ભક્તિ રસ ઉત્પન્ન કરાવે છે એ રસિક .. હોળી દરમ્યાન સર્વે ભક્તો ગોપ ગોપી બની જાય છે અને પ્રભુ સખા બની જાય છે ત્યારે બધા સાથે મળી ને હોળી રમે છે … એવો ભાવ રાખી હોળી રસિયા-પદ ગવાય છે..

હોળી વિષયક અગાઉની પોસ્ટ.

*.. Holi ki badhai..*

…* હોલિકોત્સવ *

…* Holi * …

...* હોળાષ્ટક * …

Share this post

  • Facebook
  • Google Plus
  • YahooBuzz
  • Twitter
  • Google Reader
  • Orkut
  • Live
  • LinkedIn
  • Email
  • RSS
  • Add to favorites

Holi Rasiya…

 
હોળી રસિયા

યા છલિયા બલ છેલને, મોહે મધુબન મેં લીની ઘેર પિચકારી સન્મુખ કીની ,

મેરી ગાગર દીની ઢેર.
ઊંચે ઊંચે મહલ બનાઉં, બિચબિચ રાખું બારી,

સાંવરિયા કે દરશન પાઉં, પહિઓર કસુંબી સારી

ઠાડી મોંકો કર લઈ, તો મૈ ભોરીભોરીદેખે મેરી સાંસ તો,

દે લાખન ગારી.
ફાગણ આવ્યો હે સખા, કેશુ ફુલ્યો રસાળ ,

હ્રદય ન ફુલી રાધીકા, ભ્રમર કનૈયા લાલ.

 - મુંબઇથી નીતાબહેન કોટેચાનાં જયશ્રીકૃષ્ણ..

***

Share this post

  • Facebook
  • Google Plus
  • YahooBuzz
  • Twitter
  • Google Reader
  • Orkut
  • Live
  • LinkedIn
  • Email
  • RSS
  • Add to favorites

Vasant vadhai pad – kirtan…

By , February 20, 2008 12:58 pm

* રાગ વસંત *

આઇ ૠતુ-બસંત કી ગોપીન કિયે સિંગાર

કુમકુમ બરની રાધિકા સો નિરખતિ નંદકુમાર

આઇ ૠતુ-બસંત કી મૌરે સબ બનરાઇ

એકુ ન ફૂલૈ કેતકી ઔ ફૂલી બનજાઇ

શ્રી ગિરિરાજધરનધીર લાડિલૌ લલન-બર ગાઇએ

શ્રીનવનીત પ્રિય લાડિલૌ લલન-બર ગાઇએ

શ્રી મદમ મોહન પિય લાડિલૌ લલન-બર ગાઇએ

કુંજ કુંજ ક્રીડા કરૈં, રાજત રુપ-નરેસ

રસિક, રસીલૌ, રસભર્યૌ, રાજત શ્રીમથુરેસ

શ્રીગિરિરાજધરનધીર લાડિલૌ લલન બર ગાઇએ

Share this post

  • Facebook
  • Google Plus
  • YahooBuzz
  • Twitter
  • Google Reader
  • Orkut
  • Live
  • LinkedIn
  • Email
  • RSS
  • Add to favorites

Kirtan…

કીર્તન વિષે સમજુતી :-
*
..ભૂમંડલાચાર્ય શ્રીવલ્લભાચાર્યજીએ પુષ્ટિજીવોને આજ્ઞા કરી છે કે ” કૃષ્ણ સેવા સદા કાર્યા” . શ્રીકૃષ્ણની સેવાએ પુષ્ટિ -માર્ગનું મુખ્ય અંગ છે. સેવાની સાથે સાથે કીર્તન સેવાને પ્રધાન અંગ ગણી છે. લીલા સૃષ્ટિના વિછુરેલા જીવને લીલા દ્રષ્ટિ મેળવવા, કેળવવા અને જાળવવા કીર્તન પદો અસરકારક કૃપા કરવા સમર્થ છે. પુષ્ટિમાર્ગમાં ગવાતાં અષ્ટસખાનાં કીર્તનો કોઇ સામાન્ય કવિત્વસૂચક પદ સાહિત્ય નથી કે નથી શબ્દોનો વિલાસ. એ તો છે સાક્ષાત્ સ્વરૂપાત્મક દૂતી સ્વરૂપો જે પ્રેમી ભકતોનો વિરહ સંદેશો એના પ્રિયતમ શ્રીઠાકોરજીને ભાવપૂર્વક પહોચાડે છે. કીર્તનમાં ધર્મી સ્વરૂપ એના ધર્મો અને લીલા શકિત સહિત નામ, રૂપ અને લીલા ત્રણે સ્વરૂપે બિરાજતું હોય છે. જલમાં માધુર્ય, પુષ્પમાં સુવાસ અને ધરતીમાં રસની જેમ. દાસત્વભાવથી ભકતમાં દૈન્યથી વિરહાર્તિ જાગે છે. વિરહ -આર્તિ પૂર્વક કીર્તન કરવાથી ચિતની એકાગ્રતા થાય છે.ચિતની એકાગ્રતાથી કીર્તન કરતાં કીર્તનમાં નિગૂઢરૂપે બિરાજતું ભગવદ્સ્વરૂપ ભકતની સામે પ્રગટ થાય છે.જેમ દીપક રાગ ગાતા દીવા પ્રગટ થાય છે તેમ ભાવ દ્રઢ અને ગાઢ થતાં શ્રી ઠાકોરજી વિશેષ કૃપાવંત થઇ ભકતને વશ થાય છે. માટે ભકતે અષ્ટસખાઓના સમયસમયના કીર્તનો ગાતાં ગાતાં શ્રીકૃષ્ણ સેવા કરવાની છે. શ્રીમહાપ્રભુજીએ જતિપુરામાં શ્રીનાથજીની સેવાની શરૂઆતમાં ભોગની સેવા રામદાસજી ચૌહાણને અને રાગની સેવા (ર્કીતન સેવા ) કુંભનદાસજીને સોંપી હતી. તેથી કહેવત પડી ગઇ કે બિના રાગ નહી ભોગ. શ્રીઠાકોરજી કીર્તન વિના ભોગ આરોગતા નથી. પ્રથમ રાગ (કીર્તન) પછી ભોગ. આથી ભગવદ્ સેવામાં કીર્તન પ્રધાન અંગ છે. પુષ્ટિ માર્ગમાં સેવા , કીર્તનમાં વર્ણિત ભગવદ્-લીલાના ગાનથી જ થાય છે. કીર્તન એ સેવાનું મુખ્ય અંગ હોવાથી તેનું મહત્વ વધુ છે, નવધા ભકિતથી એ આગળ પ્રેમલક્ષણા ભકિત છે. શ્રીગોકુલનાથજી આજ્ઞા કરે છે કે “ફલત્વં જ્ઞાનપૂર્વક સેવા કરણમ્” એટલે પુષ્ટિમાર્ગમાં “કીર્તન” ફલરૂપ સેવાનું એક અંગ છે.
મહતાં કૃપયા યદ્વત્ કીર્તન સુખદં સદા । ન તથા લૌકિકાનાં તુ સ્નિગધ ભોજન રૂક્ષવત્ ।। (નિ.લ.)
મહાનુભવોની કૃપાથી કીર્તન હંમેશા સુખ આપવાવાળું છે. સંસારી લૌકિક કીર્તન એવું સુખ આપનારું નથી . જેટલું ધી વાળુ ભોજન બધી ઇન્દ્રિયોને પોષણ આપે છે તેટલું લૂખું ભોજન પોષણ આપતું નથી. આમ મહાનુભાવોના ભાવથી કરેલું ર્કીતન પ્રભુ-સેવામાં તથા સેવાના અનોસરમાં આનંદદાયક છે. કીર્તનો સમય-સમય અને ઋતુ-ઋતુ અનુસાર ગવાય છે. અષ્ટસખાઓએ જેજે લીલાઓ દર્શન સમયે જોઇ તેનું અક્ષરશઃ વર્ણન તેમણે કીર્તનોમાં ગાયું છે. એટલે સેવા કરતાં કરતાં લીલાનું અવગાહન પણ કીર્તન દ્વારા ભકત કરી શકે છે. પ્રત્યેક બ્રહ્નસંબધી વૈષ્ણવના ધેર ઠાકોરજીની સેવા હોવી અનિવાર્ય છે. સેવા દરમ્યાન સમય સમયનાં કીર્તન સમજીને ગાવાથી સેવામાં અર્પૂવ આનંદ આવશે અને હૃદયમાં તે પ્રમાણે પ્રભુ માટે ભાવ જાગશે. ભાવ જાગતા પ્રભુ માટે પ્રેમ પ્રગટશે. પુષ્ટિમાર્ગમાં પ્રભુ ભપકાથી કે દંભથી નહિ રીઝે પણ ભાવથી રીઝશે. કીર્તન ગાતાં કીર્તનમાં રહેલી લીલાનો ભાવ હૃદયમાં જાગૃત કરવા કીર્તનનો અર્થ જા ણવો આવશ્યક છે. ભાવાર્થ સમજી જો વૈષ્ણવ કીર્તન કરશે તો તેના હૃદયમાં ભગવાન માટે ભાવ જાગશે. ભાવ જાગતાં સેવામાં તલ્લીનતા આવશે. શ્રીમહાપ્રભુજીએ સ્પષ્ટ આજ્ઞા કરી છે કે “ચેતઃતત્પ્રવણંસેવા” ચિતની એકાગ્રતા થવી એ જ સેવાની આધિદૈવિકતા છે. જો એમ ન થાય તો સેવા કેવળ ક્રિયાત્મિકા બનશે. આમ કીર્તનો સમજીને રોજ ગાવાથી સહજ રીતે કંઠસ્થ પણ થઇ જશે. ગૃહસેવામાં સમય અને ઋતુ અનુસાર કીર્તનમાં ભાવાર્થ સમજી ભાવપૂર્વક કીર્તન કરવાથી સેવામાં આનંદ આવશે. કીર્તન મધુર રાગથી ગવાય તો ધણું સ

Share this post

  • Facebook
  • Google Plus
  • YahooBuzz
  • Twitter
  • Google Reader
  • Orkut
  • Live
  • LinkedIn
  • Email
  • RSS
  • Add to favorites

Jeth sud – Shukl paksh / જેઠ સુદ – શુક્લ પક્ષ…

By , June 18, 2007 5:51 pm

.

.

Share this post

  • Facebook
  • Google Plus
  • YahooBuzz
  • Twitter
  • Google Reader
  • Orkut
  • Live
  • LinkedIn
  • Email
  • RSS
  • Add to favorites

Jeth vad Krushn paksh / જેઠ વદ – કૃષ્ણ પક્ષ…

.


powered by ODEO

Share this post

  • Facebook
  • Google Plus
  • YahooBuzz
  • Twitter
  • Google Reader
  • Orkut
  • Live
  • LinkedIn
  • Email
  • RSS
  • Add to favorites

Jay Shri Krishna…

By , May 27, 2007 2:52 pm


.powered by ODEO

दृढ इन चरण कैरो भरोसो, दृढ इन चरणन कैरो ।

श्री वल्लभ नख चंद्र छ्टा बिन, सब जग माही अंधेरो ॥

साधन और नही या कलि में, जासों होत निवेरो ॥

सूर कहा कहे, विविध आंधरो, बिना मोल को चेरो ॥

શ્રી પુરુષોત્તમ માસ – પવિત્ર અધિક માસ માં સર્વે વૈષ્ણવો ને જય શ્રી કૃષ્ણ..!

Share this post

  • Facebook
  • Google Plus
  • YahooBuzz
  • Twitter
  • Google Reader
  • Orkut
  • Live
  • LinkedIn
  • Email
  • RSS
  • Add to favorites

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetans WP-Copyprotect.