home-purple

વીણેલા મોતી…

‘આત્મા અને જીવન એ કોઈ વિરોધી વસ્તુઓ નથી. ઊલટું માણસને જેમ જેમ વધુ આત્મ શક્તિ પ્રાપ્ત થતી જાય છે તેમ તેમ તેની જીવન શક્તિ પણ વધુ સમૃદ્ધ થતી જાય છે. આ સત્યનો સાક્ષાત્કાર કવિતા અને કળાની શક્તિ સૌથી વધુ … કરાવી શકે છે’.

એટલું જ નહિ આ સત્ય અને જીવન અને આત્માની આનંદ તથા સૌંદર્ય સાથે મૂળમાં જે એકરૂપતા છે, તે એકરૂપતા માનવે પ્રાપ્ત કરવાની છે અને આ કાર્ય સાધવામાં કવિતા એ ઘણું મહાન સાધન છે.

– શ્રી સુન્દરમ

*

This entry was posted in વીણેલા મોતી. Bookmark the permalink.

bottom musical line

5 Responses to વીણેલા મોતી…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to ushapatel Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. ચીમનલાલ ઘીયા says:

    આત્મા – જીવન તથા કવિતા-કળા તથા સત્યના સક્ષાત્કારનાં સુંદર સમન્વય દ્વારા સમજણ આપેલ છે. કવિશ્રી સુન્દરમજી આત્મ સાક્ષાત્કાર પામેલ શ્રી અરવિંદ આશ્રમ પોંડીચરીના મહાન સાધક હતા.

  2. Ketan Shah says:

    એકદમ સાચી વાત

  3. Ullas Oza says:

    સત્યમ- શિવમ-સુંદરમ નો સાક્ષાત્કાર જીવનમા આત્માના ઉત્થાન દ્વારા થાય છે.
    કવિતા ઍ વહેતુ જીવન છે.

  4. BGUJJU says:

    બહુ જ સરસ કહ્યું છે કવિએ આત્મા દ્વારા જીવન માં શાંતિ લાવી શકાય છે

  5. ushapatel says:

    જ્યારે આત્મા નિરભ્ર આકાશ જેવું બની જાય..(વિચારોનો ટ્રાફિક ક્યાંય નડે નહીં) ત્યારે મનના શુદ્ધ તરંગો વડે પરમાત્માની સાથે સાયુજ્ય સંધાય છે અને તેમાંથે જે અનહત નાદનું સંગીત રેલાય છે.. તેનો એક આછેરો આસ્વાદ પણૅ જીવનને ધન્ય બનાવી દે છે અને એક અમીટ છાપ આપણા માનસપટ પર છોડી જાય છે કે..એનો આનંદ વારંવાર લેવાનું જ મન થયા કરે છે..જેની આગળ દુનિયાના તમામ વૈભવ ખોટા લાગે છે..