home-purple

મમતા…

mother_love_3671139343997017971.jpg_480_480_0_64000_0_1_0

.. *.. મમતા ..*..

સુર્યનાં સોનેરી કિરણો ચહેરા પર પડતાં જ તૃપ્તિની આંખો ખુલી ગઇ અને અચાનક જ ખ્યાલ આવ્યો કે આજે તો અગિયારસ …! જલ્દી ઉભી થઇ નિત્ય ક્રમ આટોપી, ઠાકોરજી ની સેવા કરી, ઉંઘી રહેલાં તપનને ઢંઢોળી, બધી સૂચના આપી જલ્દી હવેલી તરફ રવાના થઇ…. આજે અગિયારસ ને લીધે મંગળા આરતીનાં દર્શન માટે ખાસ્સી એવી ભીડ હતી …તો પણ સદભાગ્યે શ્રીજીની સન્મુખ ઝાંખી થઇ શકી .. ત્યાર બાદ શ્રીજી ગોલખમાં ભેટ ધરી, ગૌશાળામાં ગાય ને નીરણ ધરી,પ્રદક્ષિણા કરી રહી હતી ત્યાં જ સુધાબહેને એને જોઇ ..

“અરે તૃપ્તિ… જય શ્રીકૃષ્ણ …!!…”

“ઓહ, જય શ્રીકૃષ્ણ, આંટી…!!… ”

”આજે તો તું મંગળા દર્શનમાં આવી..!! ..”

“હા આજે અગિયારસ અને પાછો રવિવાર છે એટલે તપન ઘરે છે તો શુભની પણ ચિંતા નથી …

“હાં બરોબર .. અરે હાં દીદી આવી છે, તને યાદ કરતી હતી .. સાંજે તને મળવા આવશે..!”

“અરે વાહ ..! આંટી, તમે બધા પણ આવજો ને ..” કહેતી તૃપ્તિ ઝડપથી ઘર તરફ રવાના થઇ…

સુધાબહેન ઘરે આવ્યાં ત્યારે રાગીણી પણ જાગી ગઇ હતી .. તે મુંબઇથી ઘણા સમયે અમદાવાદ આવી એટલે નાની બહેન શ્વેતાનાં અને સંબંધીઓનાં ખબર અંતર પુછતી હતી, ત્યાં સુધાબહેન બોલ્યાં કે આજે તો શ્વેતાની સહેલી તૃપ્તિ મળી ગઇ હવેલીમાં…અને રાગીણી ચમકી.. કે તૃપ્તિ આવી હતી..??.. અને તેની નજર સમક્ષ તૃપ્તિનાં લગ્ન થયાં ત્યારથી અત્યાર સુધીના બધા દિવસો જાણે કે ચિત્રપટની જેમ છવાઇ ગયાં.

અને દસ વર્ષ પહેલાનો તૃપ્તિનો લગ્નનો દિવસ યાદ આવી ગયો…રૂડા માંડવડા રોપાયા હતાં… મંગળ ફેરા ફરાતા હતાં ને સાજન માજન સંગે લગ્ન ગીતો ગાતાં હતાં…ત્યાં તો વિદાયની વસમી વેળા પણ આવી ગઇ..માતા-પિતા, ભાઇ, બહેન, સખીઓનો સંગાથ છોડી આંખોમાં સ્વપ્નાઓ લઇ પારકાઓને પોતાના બનાવવા સાસરે ચાલી…એક કોડ ભરી યુવતી જ્યારે મા-બાપની છત્રછાયામાં થી વિખુટી પડીને તદન નવા વાતાવરણમાં જઇ ને શ્વસુરપક્ષનાં દરેક સભ્યોને પોતાના બનાવવાની સારી ભાવાના રાખીને પહેલું પગલુ ભરે છે, ત્યારે એને ખબર નથી હોતી કે તેનું ભાવિ કેવું હશે..? …

શરૂઆતમાં તો બધુ ઠીકઠાક ચાલ્યું..પણ ઘરમાં માતા(સાસુ)નું એક્ચક્રી શાસન હતું…. અને કમનસીબે તપન પણ માતાની વાતોમાં આવી જતો.. ધીરે ધીરે ગૃહક્લેશને કારણે તૃપ્તિને ઘણું સહન કરવું પડ્યું… સમય વિતતા તૃપ્તિનાં માતૃત્વનાં ખુશીભર્યાં સમાચાર પણ તેની કમનસીબીનાં ચક્રને ફેરવી ના શક્યાં..!!…સમયનાં વહેણ વહેવા લાગ્યાં…સાથે સાથે તૃપ્તિ પર માનસિક અને શારીરિક ત્રાસ પણ વધતો ચાલ્યો.. આવી હાલતમાં જ વિકલાંગ પુત્ર નો જન્મ થયો…! …પરંતુ ખૂબ જ સારવાર કરવા છતાં બાળકનો માનસિક અને શારીરિક વિકાસ ના થયો…આમ જ દહાડાઓ વિતવા લાગ્યાં .. તૃપ્તિ અને તપને ખૂબ જ મહેનત કરી પણ બધાજ ડોક્ટરોએ દવાની બદલે દુવા કરવાનું કહ્યું ત્યારે બન્ને પર જાણે કે પહાડ તુટી પડ્યો…! …

આ બધી જ વાત રાગીણી જાણતી હતી એટલે જ મમ્મીએ જ્યારે કહ્યું કે તૃપ્તિ હવેલીમાં મળી હતી, ત્યારે એને આશ્ચર્ય થયું હતું કે તૃપ્તિ…! અને સવારના પહોરમાં હવેલીમાં..???…. કેમકે તે શુભને ક્યારેય અળગો ના કરતી.

સાંજ પડી અને શ્વેતા પણ આવી પહોંચી ..બન્ને બહેનો તૃપ્તિનાં ઘરે ગઇ ..તૃપ્તિ તો બન્નેને જોઇ ને એક્દમ આનંદમાં આવી ગઇ… આમ પણ રાગીણી એના માટે સખી શ્વેતાની દીદી નહીં પણ, પોતાની મોટીબહેન સમાન હતી. ત્રણે એ નાનપણની બધી વાતો યાદ કરી …સ્કુલ લાઇફમાં કેવા તોફાન મસ્તી કર્યાં હતાં એ બધીજ બાળપણની વાતો કરતાં કરતાં વર્તમાનમાં આવી પહોંચ્યાં અને શુભને જોઇ ને રાગીણીથી રડી પડાયું…તૃપ્તિ બોલી, કેમ શું થયું દીદી..??…પણ રાગીણી બોલી શકી નહીં અને શુભ તરફ જોયું…

એટલે શ્વેતા સમજી ગઇ અને કહ્યું કે, રડો નહીં દીદી … તૃપ્તિ તો હવે ખૂબ જ હિંમતવાન થઇ ગઇ છે…અને તપનનાં સ્વભાવમાં પણ પરિવર્તન આવ્યું છે …. ખરુને તૃપ્તિ..?… ”

“હાં દીદી…એક વખત હું શ્રીમદ ભાગવત સપ્તાહમાં ગયેલી અને મહારાજશ્રીનાં વચનામૃતનું શ્રવણ કરતાં જ, અંતરમાં રહેલાં ધાર્મિક સંસ્કારો ઝંકૃત થઇ ઉઠયાં અને સંજોગો સાથે સમાધાન કરતાં શીખી. અને હા દીદી, તમારાં બધા જ કરતાં હું નસીબદાર છું કારણકે, તમારાં બાળકો ને તો તમે ફક્ત અમુક સમય સુધીજ ગોદમાં લઇને રમાડી શકો છો, જ્યારે હું તો શુભ ને આઠ વર્ષથી મારી ગોદમાં રાખીને વાત્સલ્ય વરસાવુ છું….. જાણે કે શ્રી ઠાકોરજી, શુભ રૂપે અમારે આંગણે અવતર્યાં અને જેની અમે પ્રત્યક્ષ સેવા કરીએ છીએ…હવે તો શુભ જ અમારો લાલો છે અને એની સેવા એ જ શ્રીઠાકોરજીની સેવા છે..!…મમતા ભરી દ્રષ્ટિએ શુભ તરફ જોતા તૃપ્તિએ કહ્યું…

તૃપ્તિની વાતો એ રાગીણીને વિચારતી કરી મુકી….મનોમન એ, માતૃત્વનું ઝરણુ વહાવતી મમતાની મુર્તિ ને વંદી રહી..!!..સાથે સાથે જ આપણી ભારતીય સંસ્કૃતિનાં રીત – રિવાજોનાં આવા નરસા પાસાને કોસતી રહી કે, આવી કેટ – કેટલી તૃપ્તિઓ આવા દુર્વ્યવહારનો ભોગ બનતી હશે..!!..જ્યાં નારીને નારાયણી મનાય છે, ત્યાં નારીનું આ રીતે પણ શોષણ થાય છે….!.. જ્યારે આ કારણે જ શુભની હાલત આવી છે …પરંતુ આમાં શુભનો શું વાંક…??

..માનવ હક્કનું મુલ્ય અને “વહુ” નામનાં સભ્યની વેદના – સંવેદનાને ક્યારે સમજશે આ ભારતીય સમાજ ..?

શું વહુ બનીને આવેલી નારીને, પોતાનું જીવન, બસ શ્વસુરપક્ષને સમર્પિત કરી દેવા માટે જ મળ્યું છે ?? ફરજ નિભાવવાના ઓઠા હેઠળ કેટલીયે “વહુ” રિબાતી હશે…! પછી તેની સાથે પરીણામ ભોગવવા પડે છે શુભ જેવા નિ:ર્દોષ બાળકોએ, કે જેઓનું કોઇ નિશ્ચિત ભવિષ્ય નથી…!

કાશ ! હવે તો , સભ્યતાનો આંચળો પહેરેલ ભારતીય સમાજ નાં એ દરેક શ્વસુરપક્ષની આંખો ખુલે, જેઓ હજીયે વહુ ને આવી રીતે ત્રાસ આપે છે, તેને ફક્ત ‘વહુ’ તરીકે જ જુવે છે .. ઘરના સભ્ય તરીકે નહિ …!

કહેવાતા આધુનિક અને સુધરેલા, આ સમાજ માં અત્યારે પણ આવું બની રહ્યું છે એ ખૂબ શરમજનક છે આપણી સંસ્કૃતિ માટે ..!!

– સહલેખન –

ચેતના (ઘીયા) શાહ.

શિતલ (ઘીયા) માલવિયા.

*

આ લઘુકથા લખતી વખતે અમારી આંખો તો ભીંજાઈ ગઈ ને હૈયું દ્રવી ઉઠયું ..! આપનું હૃદય શું કહે છે ..?

*

This entry was posted in ઝાકળબિંદુઓ * સ્વ-રચિત. Bookmark the permalink.

bottom musical line

45 Responses to મમતા…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to sanjay Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. સંવેદનશીલ કથા.

  2. Dear Chetu,

    Moving story for the MInd and Heart.
    Keep sending more …..

    Dhavalrajgeera

    http://www.bpaindia.org

  3. વાત તો સાચી છે. પણ બહુ જુની છે.સમાજમાં બધી જાતના મ આનસો હોય છે.

    પણ હવેના જમાનામાં આવા કીસ્સા ઓછા અને તેનાથી વીપરીત ઘણા વધારે જોવા મળે છે.

  4. mrunalini says:

    હ્રુદયદ્રાવક વાર્તા ( કે સત્ય ઘટના ?)
    બંને પાત્રો એક પરિવારમાં મોભા માટે સ્પર્ધામાં ઊતરે છે.સંશોધક ડો. ટેરી એપ્ટરે જણાવ્યા મુજબ બંને પાત્રો એક પરિવારમાં ખાસ પ્રકારનો દરજજો મેળવવા ઝઝૂમે છે. બંને પોતાના દરજજાને બચાવવા ઝઝૂમે છે. બંનેને એકબીજાનો ડર રહે છે. સેંકડો પરિવારોનું સર્વેક્ષણ કરીને સંશોધકો આ તારણ સુધી પહોંરયા છે. પોતાના નવા પુસ્તક ‘વોટ ડુ યુ વોન્ટ ફ્રોમ મિ ?’ નામના પુસ્તકમાં સંશોધકોએ પોતાના તારણ આપ્યાં છે.બેતૃતિયાંશ વહુઓ જણાવે છે કે તેમની સાસુ તેમને ચિંતામાં રાખે છે તો એટલી જ સંખ્યામાં સાસુઓ કહે છે કે તેમની વહુ તેમને એકલી અટુલી પાડી દેવા પ્રયાસ કરે છે. નવોઢાના આગમન સાથે જ મતભેદ શરૂ થાય છે. સાસુમા એવો દાવો કરતા રહે છે કે રસોઇ, સ્વરછતા અને બાળકોની સંભાળના મુદ્દે તેમની જાણકારી સર્વોચ્ચ છે. પછી તો લાગણી અને આવેગો ગૂંચવાડા વધારતા જ જાય છે.

  5. pragnaju says:

    વહુઓ આક્ષેપ કરે છે તેમની સાસુઓ ઇર્ષાથી ભરેલી હોય છે.પુત્રમોહમાં જકડાયેલી હોય છે.બંને પક્ષે અજંપો જન્માવતા આ મૂળિયા વાસ્તવિક વલણમાં નહીં પરંતુ
    મહિલાઓના મા ન સ માં પડેલા છે.
    દ્ર્ઢ મનોબળ સાથે વહુ કહે,‘જુદા રહેવાની વાત કરશો જ નહિ.જુદા રહેવાથી આ પ્રશ્ન હલ નહિ થાય.હું મમ્મીને શાંતિ આપવા ઈચ્છું છું,સંતોષ આપવા ઈચ્છું છું.મને એ ગમે છે,અહીં રહેવું મને ગમે છે.’ સાસુ ઉગ્રતાથી ગમે તે બોલે તો પણ એ કદીય સંયમ ખોય નહિ.જાણે સાંભળ્યું જ ના હોય એમ ચૂપ રહે, સ્વસ્થ રહે.આજુબાજુના લોક કહે : વહુ સાસુના ત્રાસથી દબાઈ ગઈ છે,તો પણ તો એની સાધનામાં જ મસ્ત રહે તો હૃદયના ઊંડાણમાં આ નમ્ર, વિવેકી, પ્રેમાળ વહુ માટે પ્રેમ ઊભરાવા માંડે અને મજબૂતપણે ભિડાયેલાં એમનાં હૃદયનાં દ્વાર ખૂલી જાય !
    જાહેરમા અમારા ઘરની ખાનગી વાત

  6. mrunalini says:

    નારી જગતની કરુણ કથની
    સંશોધક ડો. ટેરી એપ્ટરે જણાવ્યા મુજબ બંને પાત્રો એક પરિવારમાં ખાસ પ્રકારનો દરજજો મેળવવા ઝઝૂમે છે. બંને પોતાના દરજજાને બચાવવા ઝઝૂમે છે. બંનેને એકબીજાનો ડર રહે છે. સેંકડો પરિવારોનું સર્વેક્ષણ કરીને સંશોધકો આ તારણ સુધી પહોંરયા છે. પોતાના નવા પુસ્તક ‘વોટ ડુ યુ વોન્ટ ફ્રોમ મિ ?’ નામના પુસ્તકમાં સંશોધકોએ પોતાના તારણ આપ્યાં છે.

  7. sejal says:

    It’s a very emotional story.

  8. નિરજ સોનાવલા says:

    સ્વભાવના બે વિરુદ્ધ ધ્રુવ નુ મિશ્રણ એટલે સ્ત્રી , જેના એક છેડે ચિત્ત મા ઇર્ષ્યા,દ્વેષ નો દાવાનળ છે, તો બીજા છેડે હ્રદયમા મમતા, વાત્સલ્ય નો દરીયો છે.જે સ્ત્રી આજે પુત્ર ની મા છે તેજ સ્ત્રી પુત્ર વધુ ની સાસુ પણ છે. છતાંય બન્ને પાત્ર ભજવતી વખતે સ્વભાવ બદલાઈ જાયછે.વહુ ને દિકરી તરીકે અને સાસુ ને મા તરીકે સ્વિકારવા મા અવશે ત્યારે આ બધી દુવિધા નો અંત આવશે.અન્યથા શુભ જેવા બળકો ને વત્સલ્ય નુ અમ્રુત ભારતદેશ ની ભુમી ઉપરજ મળી શકે, કહેવાતા વિકસિત દેશો મા આવા બળકો C.P.CHILD CARE મા મોકલિ દેવાય છે , અથવા આયા ના હાથ મા સોંપી દેવાયછે.
    ખુબ સરસ વાર્તા

  9. congrats…
    very touching story covers two aspects of a female life.
    1) Indian Mariage system- in which SAASU remains SAASU always and not become MAA !!
    2) a MAA remains MAA forever !!
    I think thats what the moral of the story is apart from the challenged child issue(never say a child HANDICAPPED).

  10. nilam doshi says:

    સરસ અને સાચી સંવેદના….શુભ જેવા બાળકોમાં ઠાકોરજીના દર્શન કરનારને બીજે કયાંય દર્શન માટે જવાની જરૂર નથી. આવા બાળકોને સ્નેહ આપવો એ જ સાચી સેવા પૂજા..બાકી બધા ક્રિયાકાંડ…..

    અભિનંદન..બંને બહેનોને…ચેતુ..અને શીતલ બંનેને….

  11. hiteshbhai joshi says:

    heart touching story

  12. ભાઈ નિરજ
    આપ કયા દેશમાં રહો છો? જો ભારતમાં રહેતા હો તો મને કહેવા દો કે, અહીં અમેરીકામાં આવાં બાળકોની જે દરકાર કરાય છે; તેમને પગભર કરવા માટે જે જહેમત માબાપો, શાળાઓ અને સરકાર ઉઠાવે છે, તે બેમીસાલ છે.
    હાલ ઝી ટીવી પર આવતી ‘અંતરા’ સીરીયલ જોવા ભલામણ છે.
    અહીં અંતરા જેવાં અનેક બાળકોની જે માવજત કરાય છે, તે જાતે જોયેલું છે. એનો એક ટકો પણ ભારતમાં નથી જ.
    કેટલા લોકોને ઓટીઝમ શું છે યે ખબર છે?

    • sanjay says:

      વડીલ
      મારી બેબી ૧૦ વર્ષ ની છે તેને ઓટીજમ છે તો તેનિ કોય દવા હોય તો મહેરબાની કરી ને કહો તો તેને કાય ફેર પડે તો આ બાબત મા કાય જનકારી હોય તો જનાવજો મારુ ઇ-મૈલ-; dongasanjay@ymail.com છે

  13. નિરજ સોનાવાલા says:

    વડીલ આપને જણવવા નુ કે I’m belong to DUBAI from last 12 years અને usa ની બે વખત ની મુલાકાત દરમ્યાન ખાસ એવી વ્યક્તિ ને મળવાનુ થયુ હતુ જેમનુ બાળક , અવિકસિત હતુ.અને તેને week મા એક વખત તેન મા-બાપ કમાવાની જંજાળ માથી મુક્તિ લઈ ને મળવા જતા હતા.જેનો મે ખાસ ઉલ્લેખ કર્યો છે .C.P.CHILD CARE
    તેની સામે મારા સગા કાકા નો દીકરો ભારત મા છે તેને અમારો આખો પરિવાર હુંફ આપે છે અને સામુહિક તેનુ ઘડતર કરેછે.શક્ય છે કે તમે પણતમારી રીતે સાચાજ હશો, આપની લાગણી દુભાઈ હોય તો ક્ષમા કરશો.

  14. jigna says:

    v touchy…..realy……ansu avi gaya…

  15. મીના છેડા says:

    પ્રિય ચેતુ

    સરસ કથા. અને વણાટ પણ સરસ છે.

    અભિનંદન
    મીના

  16. Dharini says:

    Khub j saras Chetuben..
    lagni na mulyo to MA thi vishesh kon jane?!!
    Aankh ma jhaljhaliya aavi gaya..!!

  17. raj says:

    really a heart touching story
    any way we must try our level best to have 50% reservation for all our life’s spell.
    any way
    groom should demand bride’s life when they are demanding wife
    right?
    jsk
    Raj Thakkar

  18. Asit says:

    An emotional story. But still nobody understands the fact.
    It is hard to believe that how many “AVTAAR” does a woman
    have.

    Keep it up.

  19. neetakotecha says:

    સાસુ વહુ કદી એક બીજાંનાં થતા નથી પણ એક બીજાં વગર રહી પણ શકતા નથી..એ પણ હકીકત છે..લગ્ન પછી નાં શરૂઆતનો સમય એવો હોય છે કે બંને ને એમ થાય છે કે હુ મારો પ્રભાવ પાડું કે જેનાથી સામે વાળું પાત્ર દબાઈ જાય..પણ થોડાં વર્ષો પછી એક બીજાની આદત પડી જાય છે..હા એક વાત ખરી કે જો સાસુ, સાસુપણુ ન મૂકે તો વહુ ની જિંદગી બગડી જાય છે..એ પોતાનાં સંસ્કાર ને લીધે સાસુ ને સંભાળે છે પણ એની જિંદગી ત્રાસરુપ થઈ જાય છે..અને એમાં પણ જો પતિનો સાથ ન હોય તો જીવન ઝેર બની જાય છે..અને ક્યાંક વહુનો એટલો ત્રાસ હોય છે કે સાસુ ને અફસોસ થાય છે કે મે દીકરો જણ્યો જ શું કામ ? હકીકત એક જ છે કે જ્યાં સુધી સ્ત્રી, સ્ત્રી ને નહી સમજે કોઇ પણ ઘર આગળ નહી વધે..આપણે દેશ ની વાત તો વિચારવાની જરુરત જ નથી..મે કેટલાક ઘર માં જોયુ છે કે જે ઘરમાં સ્ત્રીઓ માં સંપ હોય છે એ ઘર સુખ સમ્રુધ્ધી અને શાંતિ થી ભરપૂર હોય છે..અને ક્યાંક બધું હોય છે પણ કાંઇ જ હોતું નથી કારણ ત્યાં સ્ત્રી વચ્ચે સંપ નથી હોતો..
    બાકી રહી અવિકસીત બાળક ની વાત , તો એ અમેરીકા હોય કે ભારત હોય પણ એક મા તો એને પ્રેમ પુર્વક જ સાચવે છે..કારણ માતા અમેરીકાની કે ભારત ની નથી હોતી એ ફકત માતા જ હોય છે..

    વાર્તા હ્રદય સ્પર્શી છે…

  20. gini says:

    hridayspashrshi to chhe j vaarta..pan sauthi vadhare to aanand e vaat no thayo ke sheetal ne varsho thi olakhti hova chhata pan teni lekhika tarike ni sushupt olkhan drashigochar thayi..!!!
    sheetal ben..divas na dhhagla kaam ni vachhe y jo samay kadhhine aava moti ugata hoy to tamari sathe hun y marjeevo thavaa taiyaar chhu!!

  21. એક વાત તો દિવા જેવી સ્પષ્ટ જ છે કે શરૂઆતના એક કે બે વર્ષતો ’વહુ’ એ દબાઇને જ રહેવુ પડતુ હોય છે. જાણવા અને સમજવા છતા, અન્યાય સહન કરવો તે પણ કેવી કઠણાઇ! પછી ધીમે ધીમે બાજી થાળે પડતી હોય છે, અને ઘણીવાર નથી પણ પડતી. લગ્ન કરીને ઘર છોડીને વરના ઘર હંમેશા માટે રહેવા જવુ એ વિચાર જ ઝણઝણાટી બોલાવનારો છે તેમ છતા ભારતીય નારીની શક્તિનુ તે પ્રતિક છે.

    વર્તમાનપત્રોમાં ઘણીવાર વહુ પરના ત્રાસના સમાચારો વાંચીને દિલ દ્રવી ઉઠે છે.

    પરંતુ હવે જમાનો બદલાયો છે અને ’જબરી’ વહુઓ પણ છે જે તેમની સાસુઓને પણ ત્રાસ આપે છે!

    પરંતુ આ તો આડ વાત થઇ. ચેતનાબેન અને શિતલબેનનો સંયુક્ત પ્રયાસ ખરેખર કાબિલેદાદ છે. ખુબજ ટુંકમાં કેટલી વાતો કહિ દિધિ! લઘુવાર્તાઓનો તો આ કમાલ છે, અને આપ બન્ને તે સારી રીતે કહિ જાણ્યા. હદયસ્પર્શી લેખન બદલ ખુબ ખુબ અભિનંદન.

  22. samnvay says:

    આ કૃતિ પર આપનાં વિચારો દર્શાવવા બદલ સર્વે મિત્રોનો ખુબ ખુબ આભાર …

  23. Binita says:

    good story

  24. dilip says:

    પ્તિની વાતો એ રાગીણીને વિચારતી કરી મુકી….મનોમન એ, માતૃત્વનું ઝરણુ વહાવતી મમતાની મુર્તિ ને વંદી રહી..!!..સાથે સાથે જ આપણી ભારતીય સંસ્કૃતિનાં રીત – રિવાજોનાં આવા નરસા પાસાને કોસતી રહી કે, આવી કેટ – કેટલી તૃપ્તિઓ આવા દુર્વ્યવહારનો ભોગ બનતી હશે..!!..જ્યાં નારીને નારાયણી મનાય છે, ત્યાં નારીનું આ રીતે પણ શોષણ થાય છે….!.. જ્યારે આ કારણે જ શુભની હાલત આવી છે …પરંતુ આમાં શુભનો શું વાંક…??
    …સાચી સમાજ ભક્તિની આવતા ..હમેશા કરેલો કર્મકાંડ જીવાન્કાંડ માં પરિણમે છે અને દૃષ્ટિ બદલાય છે …ભારતીય સંકૃતિમાં મહર્ષિ મન પ્રથમ સંતાન ને ધર્મજ તરીકે ઓળખાવે છે ..પણ મોટેભાગે કામના વૃત્તિને જ લીધે તેના દેહ તરફ જોવામાં આવે..અને ઈશ્વર તરફ પણ એથી હાથ જોડાતા હોય છે ..પણ આત્મજ્ઞાની ને ખોળ ખાંપણ ન દેખાય અને સાચા ભક્ત ને સર્વમાં લાલો હ દખાય ..ખુબ જ પ્રેરક છે અને સુન્દર નિરૂપણ થયું છે આપણી વાર્તામાં..બધું લખતા રહેજો ..

  25. સાસુ -વહુના સંબંધ માટે આપણો ભૂતકાળ સમયકાળ પ્રમાણે થોડો વધુ પડતો રૂઢીચુસ્ત હતો અને જે કારણે આજે પણ આ સંબંધને એક સૂગની દ્રષ્ટિએ જ આપણે માપીએ છીએ અને જોઈએ છીએ જેમાં મને લાગે છે કે સમયકાળ પ્રમાણે દ્રષ્ટિમાં ફેર કરવો જરૂરી છે.

    હવે એવું પણ બને છે કે પરિસ્થિતિ અમૂક જગ્યાએ વિપરીત પણ જોવા મળે છે.

  26. manvantpatel says:

    મા -દીકરીને પ્રથમ ધન્યવાદ .બીજો સૂચનો લખનારાઓનો ;
    યુગોથી ચાલ્યા આવતા સાસુ-વહુના મામલામાં પડવું નથી .
    કારણકે કોઠી ધોવાશે !મા અને શ્રીજીને સ્મરીએ ને ધન્ય બનીએ .

  27. vishwadeep says:

    એક ભારતીય નારીના સુંદર સંસ્કારો અને ત્યાગની સાચી કથા ..

  28. naresh dodia says:

    ચેતુંજી….મારા અનુભવ પ્રમાણે જે ઘરોમાં વધું પડતી ધાર્મિકતા,મરજાદીપણું,લાલાની સેવા પુજા,વ્યકિતપૂજા જેવા સામાજિક કુરિવાજોનું વધું પડતું ચલણ હોય છે એવા ઘરોમાં જ સ્ત્રીઓની સ્થિતી દયાજનક હોય છે..કારણકે મેં ખુદે આવા કુટૂંબો જોયાં છે…પાછા આવા ધરોમાં છોકરાવો પણ માવડીયા હોય છે…પરિણામે નવી પરણેતરોને આવા બંધીયાર અને અમાનવિય વાતાવરણમાં સેટ થતાં બહું તકલિફ પડે,કદાચ મારી વાત ચોખલિયા અને ધાર્મિક વૃતિનાં લોકોને નહીં ગમે પણ આ હક્કીત છે

    • samnvay says:

      બની શકે કદાચ ..નરેનજી, પરંતુ આ ફક્ત વૈષ્ણવ સમાજ – મરજાદી વર્ગની વાત નથી – સમસ્ત ભારતીય સમાજની વાત છે. અને એ પણ ઍટ્લુ જ સત્ય છે કે અમુક એજ્યુકેટૅડ અને ફોરવર્ડ કહેવાતા લોકોની માનસિકતાનું સ્તર નિમ્ન કક્ષાએ હોય છે ને આવા કુરિવાજોને વિસ્તારતુ રહે છે…દૂર કશે નહિ પરંતુ આપણી આજુ બાજુના પડોશી કે જાણીતા પરિવારોમાંથી એકાદ પરિવાર એવો જોવા મળશે …

  29. dhaarmash kapadia says:

    આ વાર્તા માં મુખ્ય ૨ મુદ્દા છે,
    ૧) સાસુ-વહુ ના સંબંધ ની કડવાશ…
    ૨) એ કડવાશ ની પરિવાર ઉપર પડતી અસર…
    ૧) આજ ના સમય માં પરિસ્થિતિ સાવ ઉંધી છે એટલે કે આજ ની વહુ સાસુ ના દાબ માં રહે આવી નથી રહી…હા સમાજ સામે આવો ડોળ જરૂર કરતી હોય છે, બાકી ઘર ની અંદર તો સાસુઓ એ જ ભોગવવાનું થાય છે અ આજ ની હકીકત છે… કારણ પુરુષ હવે આ કકળાટ થી દુર રહેવા માંગે છે…અને ચોખ્ખાં શબ્દો માં પત્ની અને માં ને કહે છે કે તમારું તમે ફોડી લો…મને વચ્ચે ના નાખો…
    ૨) સાસુ વહુ ના સંબંધ ની કડવાશ ના લીધે પરિવાર પર જે અસર પડે છે એમાની ‘શુભ’ જેવી અસર તો સમાજ જોઈ શકે છે અને એના પ્રત્યે પોતાના ભાવ પણ રજુ કરી શકે છે…પણ અ કકળાટ ની જે માનસિક અસર એ પરિવાર ના પુરુષો પર પડે છે… એ કોઈને નથી દેખાતી કે નથી સમજાતી… અને પુરુષ…પુરુષ હોવાને લીધે કાળજું કઠણ અને મોઢું હસતું રાખીને બધું નોર્મલ છે એમ જાહેર કરે છે…બાકી અંદરખાને પુરુષ જે રીતે વલોવાતો હોય છે એ કોઈ નથી સમજતું…ના કહેવાય ના સહેવાય એવી દશા હોય છે…
    બાકી આવી વાર્તાઓ દ્વારા ઘણા સંવેદનશીલ મુદ્દા ઓ પર જે વિચારો નું આદાન પ્રદાન થાય છે એ સારી વાત છે…

    • samnvay says:

      આપના સુંદર પ્રતિભાવ બદલ આભાર .. ધર્મેશભાઈ , આપની વાતમાં સહમત છું.. કે, અંદરખાને પુરુષ જે રીતે વલોવાતો હોય છે એ કોઈ નથી સમજતું…ના કહેવાય ના સહેવાય એવી દશા હોય છે…
      ઘણીવાર સ્ત્રી જ સ્ત્રીને સમજી શકે છે, તેમ સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન બને છે એ પણ કડવું સત્ય છે …આપે કહ્યું છે તેમ આવી વાર્તાઓ દ્વારા ઘણા સંવેદનશીલ મુદ્દા ઓ પર જે વિચારો નું આદાન પ્રદાન થાય છે એ સારી વાત છે…પરંતુ એ વાંચ્યા પછી કેટલા માનસ-પરિવર્તન થાય છે ? તો પણ આપણે તો વિચારો આલેખીને પ્રયત્ન કરતા રહીશું …ક્યાંક કોઈ હૈયામાં જ્યોતિ પ્રજ્વળે..!!!

  30. Really touchy.Mother is uncomparable for her child.She is always ready to sacrifice everything for a child even if the child may be handicap.The CREATOR of the world also far below then the MOTHER.

  31. tejas says:

    ખબર ની ક્યારે પુરુષ ને જન્મ દેનારી નારી ને સન્માન મળતું થશે ?જો કે ઘણું ખરું દ્રશ્ય બદલાયું છે છતાં પણ ક્યાંક ને ક્યાંક આવ દ્રશ્યો જોવા મળે છે .એવી ઘટના બનતી હશે તોજ લેખ પણ લખતા હશે ને!
    અત્રે નાર્યેશું પૂજયન્તે રમન્તે તત્ર દેવ્તાહા ………….ખબર ની ક્યારે નારી પૂજાશે ને ક્યારે દેવતા ફરતા થશે?

    • samnvay says:

      ખરી વાત છે તેજસભાઈ .. આવી ઘટના બને છે ત્યારે જ આવું લખાય છે..!!

  32. ચેતુંજી….
    જ્યાં સુધી યુવકોની માનસિક સ્થિતીમાં પરીવર્તન નહી આવે , તેમ જ લગ્ન શુ છે ? અને શા માટે છે ? તેનુ વિસ્તૃત જ્ઞાન જ નહી આવે ત્યાં સુધી તો આ દુર્દશા રહેવાની. મોટા ભાગના આપણા સમાજમાં સંભળાય છે કે ” બા(મમ્મી)થી કામ નથી થતુ આથી લગ્ન કર્યા છે. તો શુ આવનારી વ્યક્તિ કામવાળી થઈ ? આ જ માનસિક્તા પર મે ૧૯૯૦માં એક લઘુ કથા લખી હતી અને મને તેમાં પુરસ્કાર પણ મળ્યુ હતુ. મા-બાપ નુ સ્થાન ને સંબંધ અલગ છે,અને પત્નિનુ.જ્યાં સુધી યુવકો માં બદલાવ નહી આવે ત્યાં સુધી કામવાળીઓ જ આવવાની અને તેના થી ઉત્પન્ન થનારી પ્રજા પણ એવી જ રુગ્ણ મનોદશા વાળી થવાની, કારણ અગર પત્નિ ને ચાહી ના શકો તો તેના પેદા થયેલ આપણા અંશ ને કેવી રીતે ચાહી શકશુ ?????
    મા બાપ એ પણ ના ભુલવુ જોઈ એ કે આપણે તેના વાલી જ છીએ … સંતાન નુ અવતરણ આપણા સૌની માફક ઈશ્વરીય ચેતનાથી જ થયુ છે, બાકી લાલો એ તો ઈશ્વરનુ પ્રતિક છે અને તે સુચવે છે કે તમે તમારા સંતાનને આવી રીતે કેળવો, તાલીમ બધ્ધ કરો. તેને બદલે મંદિરો ના ભંડાર ભરી દીધા,

    આપની વાર્તાની રસાળતા અને પ્રવાહિતા એટલી સટીક (accurate -લય બદ્ધ ) છે કે આંખ સમક્ષ જાણે બનતુ હોય તેવી અનુભુતિ થઈ, અને અભિવ્યક્ત કરવાની કલા આપને હસ્ત ગત છે તેવુ આપની ઘણી વાર્તાથી પ્રતિત થયુ છે.

    • samnvay says:

      હીતેષભાઈ, આપની વાત સાથે સહમત છું કે લગ્ન શું છે? શા માટે છે ? તેનુ વિસ્તૃત જ્ઞાન જ નહી આવે ત્યાં સુધી તો આ દુર્દશા રહેવાની.. આ સમસ્ત ભારતીય સમાજની વાત છે .. જ્યાં આજે પણ અનેક જગ્યાએ એજ્યુકેટેડ અને ફોરવર્ડ લોકો જૂની મનોગ્રંથીના શિકાર છે..!

      લેખન બાબત પણ આપના સુંદર પ્રતિભાવ બદલ ખુબ આભાર .. પરંતુ આ વાર્તા, અમ -બન્ને બહેનોનું સહલેખન છે.. 🙂

  33. prakash soni says:

    ખુબજ હૃદય દ્રાવક દ્રશ્ય ઉત્પન્ન થઇ ગયું ..!! અહી આપણાં સમાજ માં કેટલીયે આવી તૃપ્તિ હશે અને એમની સામે જોનાર પણ કશુજ કરી શકતું નથી … સમાજ ની દરેક સાસુ જો આવી તૃપ્તિ ને દીકરી માની ને “તૃપ્ત ‘ રહે તો દરેક આવનાર તૃપ્તિ નું જીવન ધન્ય થઇ જાય … સરસ વાર્તા કે હકિકત જે હોય તે – પણ હૃદય ના દ્વાર ને ખોલતું એક નક્કર સત્ય !!

  34. dharmesh kapadia says:

    કોશિશ કરવાની … બાકી સમય પાકે ત્યારે જ સમજણ આવે છે…
    તમારા જવાબ બદલ આભાર…