home-purple

એવો કોઈ…

મિત્રો, આજે માણીએ સુપ્રસિદ્ધ ગઝલકાર ‘મરીઝ’ ની આ ગઝલ શ્રી અનુરાધા પૌડવાલના સુમધુર સ્વરમાં …સિતાર-બંસરી-તબલા મિશ્રિત સંગીત પણ મધુરું બન્યું છે…

એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે..!

કેવો સુંદર આ શેર ..!!!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે,
આપી દે મદદ કિતું, ન લાચાર બનાવે.
હમદર્દ બની જાય, જરા સાથમાં આવે,
આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે !
શું એને ખબર, કોની નજર પ્યાસી રહી ગઇ ?
જે ભેજમાં ચાલે અને પાલવ ન ઉઠાવે.
એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.
વાતોની કલા લ્યે કોઇ પ્રેમીથી તમારા,
એક વાત કરે એમાં ઘણી વાત છુપાવે.
રડવાની જરૂરત પડે ત્યાં સુકા નયન હો,
ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહિ આવે.
છે મારી મુસીબતનું ‘મરીઝ’ એક આ કારણ,
હું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે ?

***

This entry was posted in અન્ય રચના. Bookmark the permalink.

bottom musical line

6 Responses to એવો કોઈ…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to dilip Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. dilip says:

    ખુબા જ સુરીલો કંઠયુક્ત આપે મરીઝની ઉત્તમાં ગઝલ રજુ કરી ખુબ જ સાંભળવાની ગમી..
    રડવાની જરૂરત પડે ત્યાં, સુક્કા નયના હો ..
    ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહિ આવે
    છે મારી મુસિબતનું ‘મરીઝ’ એક આ કારણ
    હું મુજથી રુઠેલો છું મને કોણ મનાવે ?

  2. Beautiful ghazal in melodious voice was a treat to hear. Thanks for sharing.

  3. હું મુજથી રુઠેલો છું મને કોણ મનાવે ?
    એવો કોઈ દિલદાર જગતમાં^ નજર આવે !
    આપી દે મદદ કિન્તુ ન લાચાર બનાવે !
    કેવું^ ભાવવાહી ગીત છે આ ?આભાર …..

  4. અરે વાહ, ખૂબ સરસ. …

    આ શું કે બધા દૂરથી જ રસ્તા બતાવે !!

  5. prakash soni says:

    દેઅર ચેતુજી,
    ખુબજ સુંદર ગીત અને એમાયે મરીઝ સાહેબ ની રચના અને સૌથી સુંદરતા અનુરાધાજી ના સ્વર ની..!! ખુબજ ઊંડાણ અને “કહેવાનું ઘણું ને કઈ યાદ ના આવે..” સ્પર્શી જાય છે.. બસ એટલુજ ..” અદ્ભુત” ..